SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અવતારવાદ અને અંડવાદ सोऽभिध्याय शरीरात्स्वात् सिसृक्षुर्विविधाः प्रजाः। अप एव ससर्जादौ तासु बीजमवासृजत् ॥ (मनु०१८) અર્થ–તે સ્વયંભૂએ વિવિધ પ્રજા સર્જવાની ઈચ્છા કરતાં થકા પ્રકૃતિરૂપ પોતાના શરીરમાંથી પાણું ઉત્પન્ન થાઓ” એવો સંકલ્પ કરીને સૌથી પહેલાં પાણીની સૃષ્ટિ કરી અર્થાત પાણુ ઉત્પન્ન કર્યું. પછી તે પાણીમાં શક્તિરૂપી બીજ આરેપિત કર્યું. (૮) સૂત્રકૃતાંગની સાતમી ગાથાના પૂર્વાદ્ધમાં કહ્યા પ્રમાણે સ્વયંભૂની સૃષ્ટિ આંહી પુરી થાય છે. “તિ કુત્ત મસિ’ એ પદથી મહર્ષિને અર્થ મનુ લેવાનો છે, અર્થાત મનુનું આમ કહેવું છે. ઉત્તરાર્ધમાં ભાર અને માયાનો ઉલ્લેખ છે તેનું વિવેચન આઠમી ગાથાના વિવેચન પછી કરીશું, કારણકે મનુની આ સૃષ્ટિપ્રક્રિયામાં સ્વયંભૂ, અંડ અને બ્રહ્મા એ ત્રણેને અનુક્રમે સંકલિત પ્રબંધ છે. તેજ અનુક્રમ કાયમ રાખવાને અમે વિવેચનપદ્ધતિ તેજ પ્રમાણે યોજી છે. સ્વયંભૂ પછી અંડસૃષ્ટિને નંબર આવે છે. એટલું કહેવું જરૂરનું છે કે અંડસૃષ્ટિ બે પ્રકારની છે. એક તે છાંદેપનિષમાં બતાવી છે અને બીજી મનુસ્મૃતિમાં દર્શાવી છે. બંનેની પ્રક્રિયા જુદી જુદી છે. છાંદો પનિષમાં અંડની સાથે સ્વયંભૂનો સંપર્ક નથી, જ્યારે મનુસ્મૃતિની સૃષ્ટિમાં સ્વયંભૂ અંડમાં પ્રવેશ કરી સૃષ્ટિ નિર્માણ કરે છે. આ વિવિધતા દર્શાવ્યા વિના સંક્ષેપ કરવાથી પાઠકના ખ્યાલમાં ન્યૂનતાત્રુટી રહી જાય એટલા માટે અંડની બંને પ્રક્રિયા અત્રે દર્શાવવામાં આવે છે. “ =' એ સૂયની ગાથાનુસાર તે છાંદોગ્યપનિષદુની પ્રક્રિયા વધારે બંધ બેસતી છે માટે પ્રથમ છાંદેપનિષની પ્રક્રિયા બતાવીને પછી મનુસ્મૃતિની પ્રકૃતિ પ્રક્રિયા ચાલુ કરીશું. छान्दोग्योपनिषत् ३-१९ ॥ असदेवेदमग्र आसीत्.
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy