SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદિક ઋષિ–સ્વભાવવાદ कालो हि कुरुते भावान् सर्वलोके शुभाशुभान् । कालः संक्षिपते सर्वाः प्रजा विसृजते पुनः ॥ ( ૫૦ મા લિ v૦ ૬ ર૮-ર૪૧) અર્થ–કાલ ભૂતોને સર્જે છે. કાલ પ્રજાનો સંહાર કરે છે. પ્રજાનો સંહાર કરતા કાલને કાલજ ફરી શાંત કરે છે. આખા લોકમાં શુભાશુભ ભાવને કાલજ ઉત્પન્ન કરે છે. સર્વ પ્રજાને કાલ સંકેલે છે અને ફરી સર્જન કરે છે. ન્યાયકારિકાવલીમાં પણ કાલને જગતને ઉત્પાદક બતાવ્યો છે. जन्यानां जनकः कालो जगतामाश्रयो मतः । | (ચાવારિવાવ કલ) અર્થ-કાલજન્ય પદાર્થ માત્રને જનક–ઉત્પાદક છે. ત્રણે જગતનો આધાર કાલ છે. એવી રીતે વૈશેષિક તથા ન્યાયદર્શને કાલને કિર્તા તરીકે માન્યો છે. વૈદિક સૃષ્ટિ-સ્વભાવવાદ. કાલની માફક સ્વભાવવાદીને પણ પુષ્કળ પ્રચાર થયેલ છે. ગીતામાં તથા મહાભારતમાં તેનો ઉલ્લેખ થયે છે. જુઓ : न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ ( તા૨ા ૨૪) અર્થ–પ્રભુ-પરમેશ્વર લોકોના કર્તાપણને તથા તેમના કર્મને તથા કર્મફલના સંયોગને ઉત્પન્ન નથી કરતા કિન્તુ સ્વભાવ જ ઉત્પન્ન કરે છે. हन्तीति मन्यते कश्चिन्नहन्तीत्यपि चापरः। स्वमावतस्तु नियतौ भूतानां प्रभवात्ययौ । ( મ. માશજિ y૦ રવા ૨૬ )
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy