SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદિક સૃષ્ટિ–દેવવાદ એજ વાત શતપથ બ્રાહ્મણમાં પણ સ્પષ્ટ કરેલી છે. तद् यदिदमाहुरमुं यजायु यजेत्येकैकं देवमेतस्यैव सा વિકૃષિ ય સર્વે તેવા છે (ફાત ગ્રા. ૨૪ ક. ૨) અર્થ–જે કંઈ એકેક દેવને ઉદ્દેશી કહેવામાં આવે છે કે આને યજ્ઞ કરો કે અમુકનો યજ્ઞ કરો તે બધીએ એકનીજ સૃષ્ટિ છે. એ એકજ બધા દેવરૂપ છે, અર્થાત એકનાંજ અનેક નામે છે. અહિં અનેકદેવવાદમાંથી એકદેવવાદ સ્પષ્ટ થાય છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ તે એક દેવને સ્થાને એક ઈશ્વર–પરમાત્માનુજ સ્થાપન કર્યું છે પણ સાયણ મહીધર આદિ અન્ય ભાષ્યકારેને તે વાત સંમત નથી. એમ તો અનેક દેવવાદ પણ સર્વથા લુપ્ત થશે નથી. આજે પણ અનેક વર્ગના મનુષ્યો જુદાં જુદાં દેવદેવીઓની ઉપાસના કરે છે. એટલે એકદેવવાદનો મતલબ એ છે કે અનેક દેવવાદમાંથી એકદેવવાદ ઉત્પન્ન થઈ ચૂકયે અને અમુક ભાગમાં પ્રચલિત પણ થઈ ચૂક્યું. રેવા શબ્દને બીજો અર્થ. સૂત્રકૃતાંગની પ્રકૃતિ ગાથામાં આવેલ “વત્ત” શબ્દની વ્યુત્પત્તિ ટીકાકારે જે (ઉન ૩ઃ લેવ) એકવચનમાં કરેલી છે, તે એકદેવવાદના આશયને અનુસરી ઠીકજ છે. એકદેવવાદની સાથે સૃષ્ટિવાદ પણ ઉપસ્થિત થાય છે. ઋષિઓની વિચારણા જેમ જેમ દાર્શનિક પદ્ધતિ ઉપર વ્યવસ્થિત બની, તેમ તેમ જગત અને તેની રચના પર વિચારેને પણ ઉદ્ભવ થયે. સૂત્રકૃતાંગ ટીકાકાર શલાંગસૂરિના કહેવા પ્રમાણે કર્ષક=કૃષિકારનું દષ્ટાંત સર્વ પ્રથમ ઉપસ્થિત થાય છે. અર્થાત કૃષિકાર જેમ બી વાવીને અનાજ પેદા કરે છે તેમ આ જગત પણ દેવનું વાવેલું ઉગ્યું જણાય છે. મૂલગત ૩૪ નું સંસ્કૃત ૩૩ રૂપ છે. તે “વહૂ વરસત્તાને એ ધાતુનું નિકાન્ત રૂપ છે. એનો અર્થ “વાવેલું ઉગેલું” એવો થાય છે. અર્થાત
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy