SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ - - જૈન જગત્ – લોકવાદ ૩૫૭ ગૌતમ–ભંતે ! અધર્માસ્તિકાય જીવોની કઈ કઈ પ્રવૃત્તિમાં હેતુ બને છે? - શ્રી મહાવીર–ગૌતમ! જીવોનું ઉભા રહેવું, બેસવું, લેટવું, સુવું, મનને એકાગ્ર કરવું ઇત્યાદિ પ્રકારના જે સ્થિર ભાવ છે તે બધા અધર્માસ્તિકાયના નિમિત્તથી સ્થિર બને છે, કેમકે સ્થિતિ લક્ષણ અધર્માસ્તિકાયનું છે. અર્થાત પદાર્થોને સ્થિર કરવામાં સહાયતા આપનાર અધર્માસ્તિકાય છે. ગાતમ–ભંતે ! આકાશાસ્તિકાય જીવોની કે અજીવોની કઈ કઈ પ્રવૃત્તિમાં નિમિત્ત બને છે? - શ્રીમહાવીર–ગૌતમ! આકાશાસ્તિકાય જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યને વાસણની માફક આધાર બને છે, બધી વસ્તુઓને રહેવા માટે કે ઠેરવા માટે અવકાશ આપે છે. એક દ્રવ્ય હોય ત્યાં બીજા દ્રવ્યને પણ અવકાશ આપી ઠેરાવે છે. જ્યાં એક દ્રવ્ય માય ત્યાં સે, હજાર, લાખ, કરેડ કે હજાર કરોડ વસ્તુઓ પણ માઈ જાય છે. રબરની થેલી માફક ઘણી વસ્તુઓને સમાવી દે છે, કેમકે અવગાહના–અવકાશ આપવો એ આકાશાસ્તિકાયનું લક્ષણ છે. ગૌતમ–ભંતે ! જીવાસ્તિકાય જીવોની કઈ કઈ પ્રવૃત્તિમાં હેતુ બને છે? શ્રીમહાઇ–ગૌતમ ! જીવાસ્તિકાય જીવને અનંત મતિજ્ઞાનના પર્ય, અનંત શ્રુતજ્ઞાનના પર્યવો, અનંત અવધિજ્ઞાનના પર્ય, અનંત મન:પર્યવજ્ઞાનના પર્યવો અને અનંત કેવલજ્ઞાનના પર્યવોને ઉપયોગ લગાડવામાં નિમિત્ત બને છે કેમકે ઉપયોગ લગાડવો એ જીવનું લક્ષણ છે. ગૌતમભંતે ! પુદ્ગલાસ્તિકાય છની કઈ કઈ પ્રવૃત્તિમાં કારણ બને છે. શ્રીમહા –ગૌતમ! પુદ્ગલાસ્તિકાય જીવોને ઉદારિક આદિ
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy