SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ વૈજ્ઞાનિક સુષ્ટિ પરામર્શ ૩૫૩ રોકી દેવાથી પણ એજ હાલત થાય છે. સેલદ્વારા શબ્દ ઉત્પન્ન કરાવવા સારૂ હાઈ વોલ્ટેજ (High Voltage). ની વિશુદ્ધારા તથા પ્રકાશ એ બન્નેની આવશ્યકતા છે. (ગંગા વિજ્ઞાનાંકઃ પ્રવાહ ૪, તરંગ ૧. લેખક-શ્યામનારાયણ કપૂર બી. એસ. સી.) આ સમાલોચના, ઉપરની પ્રક્રિયામાં પ્રકાશના કિરણની અને વિજળીની કેટલી શાક્ત છે અને તેનાથી કેવાં કેવાં અજાયબીભર્યા કાર્યો થાય છે તે આપણે જોયું. જૈન દૃષ્ટિએ ધ્વનિ એ શબ્દ છે અને શબ્દ પુદ્દગલરૂપ છે. પ્રકાશનું કિરણ પણ પુગલરૂપ છે. પૂરણ ગલન સ્વભાવ એ યુગલનું લક્ષણ છે. ધ્વનિનું વિધુધારા રૂપે બનવું અને પ્રકાશના કિરણની સાથે મળી મૂક ચિત્રને બોલતું બનાવવું; પ્રકાશની મદદથી ધીમા અવાજને તેજ બનાવો યા તેજ અવાજને સ્થલ રૂપ આપવું; ધ્વનિ અને પ્રકાશને ગતિમાં મુકાવું અને રેકર્ડ કે ફિલ્મ ઉપર રોકાવું–ગતિપ્રતિષ્ઠભ થઃ આ બધી પુદ્ગલની લીલા છે. પ્રકાશ યા વિજળીની શક્તિનું માહામ્ય છે. આમાં ઈશ્વરને જરા પણ હાથ નથી. ઈશ્વરનો હાથ હોત તો ઈશ્વર પિતાના ભકતને જ હાથે ફોનાગ્રાફ, લાઉડ સ્પીકર, ટેલીફેન, બ્રોડકાસ્ટ, વગેરે નવી નવી શોધો કરાવત; અથવાતો મનુષ્યને ઉત્પન્ન કરવાની સાથે જ પિતાની આ શક્તિને થોડે ઘણે અંશે પરિચય કરાવત. લાખ કરોડ વર્ષ સુધી જનતાને અજ્ઞાન રાખી ઈશ્વરને પણ ન માનનારા અભકતને હાથે તેને યશ કેમ અપાવ્યો? અપાવે શું ? આ તે ભૌતિક શાકત છે. ઈશ્વરની પાસે તે આત્મિક શક્તિ છે, જે ભૌતિક શક્તિ કરતાં કંઇગુણી અધિક છે. એ શક્તિનું ફલ સંસાર કે કર્મના બંધનથી આત્માને મુક્ત કરે ત્યાં પરમ આનંદના પદની પ્રાપ્તિ કરવી. તે ફળ ઈશ્વરના ભકતને મલ્યું છે અને મલશે. ભૌતિક શક્તિનું પરિ ૨૩
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy