SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સૃષ્ટિવાદ અને ઈશ્વર ઉનાળામાં કાઈ કાઈ દેશોમાં તાપમાન ૧૧૦ થી ૧૧૫–૧૨૦ સુધી જાય છે ત્યારે ઘણાં પશુ પક્ષી મરી જાય છે. એથી વધારે થાય તે! મનુષ્ય પણ મરી જાય છે. શરદીમાં સીમલા જેવા પ્રદેશમાં ઘટી ઘટીને ૪૫-૫૦ ડિગ્રી ઉપર તાપમાન થાય છે ત્યારે ઘણી શરદી થઇ જાય છે. તેથી પણ નીચે જાય તે માણસા, પશુ-પક્ષીએ વગેરે મરી જાય છે. ઠંડા દેશમાં જન્મેલા માણસા વધારે ગરમી સહન ન કરી શકવાથી ગરમ દેશમાં રહી શકતા નથી અથવા રહે છે તે મરી જાય છે. એવી રીતે ગરમ દેશમાં જન્મેલા ઠંડા દેશમાં વધારે ઠંડી સહન કરી શકતા નથી તેથી માંદા પડે છે કે મરી પણ જાય છે. એવી રીતે જ પશુ-પક્ષીઓ માટે પણ છે. કહા, -હવે મનુષ્ય આદિ પ્રાણીઓને જીવાડવા કે મારવાની શક્તિ ઇશ્વરમાં છે કે વાતાવરણ અને સૂર્યમાં છે? ઈશ્વર શરીરરહિત અને વજનરહિત હોવાથી તેમાં ગરમી પણ નથી અને આકર્ષણુશક્તિ પણ. નથી. કદાચ એમ કહે। કે સૂર્ય અને વાતાવરણને શ્વરે જ ઉત્પન્ન કયા છે, તો જે શકિત-ગરમી આકર્ષણ વગેરે ઈશ્વરમાં પોતામાં નથી તે શક્તિ ઈશ્વરે સૂર્ય અને વાતાવરણને ક્યાંથી આપી ? ઈશ્વરમાં પણ તે ગરમી આદિ માનવામાં આવે તે તે સર્વવ્યાપક હાવાથી બધે ઠેકાણે ગરમી કે શરદી એકસરખી હાવી જોઈ એ. તેમ તેા છે નહિ. યંત્રાદિ દ્વારા જે તાપક્રમનું માપ થાય છે તેનેા અન્વય વ્યતિરેક સૂર્યની સાથે તેા પ્રત્યક્ષ છે. શ્વરની સાથે અન્વય વ્યતિરેક થતા નથી તેા પછી ઈશ્વરમાં તેની કારણતા કાઈ રીતે સિદ્ધ થતી નથી. કારણતાની યથા શાધ કરવાથી વૈજ્ઞાનિકાએ પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવ્યું. ઈશ્વરવાદીઓએ વિચારશૂન્ય કલ્પના ઉપર અંધશ્રદ્દા રાખી વાદવિવાદમાં નિરર્થક વખત ગુમાવ્યા. અસ્તુ. ‘ગત 7 શોવામિ’। (સૌ॰ ૫૦ અ॰ પ્-સારાંશ. ) ૩૪૨
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy