SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ સુષ્ટિવાદ અને ઈશ્વર તે શરીરથી તો ન જ બની શકે. તેની ઉત્પત્તિ માટે બીજું શરીર જોઈશે. તેને માટે વળી ત્રીજું શરીર એમ અનવસ્થા દોષ આવશે. કદાચ તે શરીરને નિત્ય માનવામાં આવે તે પ્રલયમાં પૃથિવ્યાદિને નાશ થઈ જતો માનવામાં આવે છે તે પછી તે શરીર પૃથિવી આદિ વિના શી રીતે રહી શકશે? પ્રાનિનાં ઝાપટુar , રિક્ષાવસ્થ ન પુરા (વાક૬) साधनं चास्य धर्मादि, तदा किश्चिन्न विद्यते। નિરાધર વાર્તા, ક્રરવૃતિ વાચન I (લાલ૦) અર્થ—આ જગત દુખપ્રાય છે એટલે હિતેચ્છુ પુરૂષને પ્રાણીએને દુઃખ આપનારી સૃષ્ટિ રચવાની ઈચ્છા કરવી ઉચિત જ નથી. કદાચ ઈચ્છા થઈ આવી તે પણ સાધન વિના ઈચ્છા માત્રથી કાર્ય થઈ શકતું નથી. કદાચ પ્રાણીઓના ધર્માધર્માદિ સાધન માનવામાં આવે તો તે પણ નષ્ટ થઈ જવાથી પ્રલયકાલમાં રહેવા પામતાં નથી. કર્તા ગમે તે સમર્થ હોય પણ સાધન વગરને હાઈને ઈચ્છીમાત્રથી કાર્ય કરી શકે નહિ. નાષા વિના છિનામેરી થો પ્રાણિનાં માળાશrfજ, તરસ ઢાઢા પ્રવર્તતે | ( ૦ વા૦ ૯ / ૧૨) અર્થ–કદાચ અદષ્ટ ધર્મધર્મ રહી જાય તો પણ દષ્ટ સાધન વિના કેવલ ધર્માધર્મ માત્રથી કાર્ય બની શકતું નથી. કુંભાર પણ દષ્ટ સાધન મૃત્તિકા આદિ તૈયાર હોય તે જ ઘડે વગેરે કરવાને પ્રવૃત્ત થાય છે, માટી વિના કેવલ અદષ્ટ ઉપર આધાર રાખી પ્રવૃત્ત થતો નથી. કદાચ કરોળીયાનું દૃષ્ટાંત દઈને એમ કહો કે કરોળીયો દષ્ટ સાધન વિના જ મેંમાંથી લાળ કાઢીને લાંબી લાંબી જાળ બનાવે છે, તેમ પ્રજાપતિ પણ દષ્ટ સાધન વિના કેવળ અદષ્ટ માત્રથી સૃષ્ટિ બનાવી શકશે, તો એ પણ ઠીક નથી. કોળી માખી આદિનું ભક્ષણ.
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy