SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સુષ્ટિવાદ અને ઈશ્વર મનુષ્યનું પાપી બનવું અને ઈશ્વરને શ્રાપ. હવે યહોવાહ દેવનાં બનાવેલાં સર્વ ખેતરનાં જાનવરો કરતાં સર્ષ ધૂર્ત હતો; ને તેણે સ્ત્રીને કહ્યું કે, શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે, વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સપને કહ્યું કે, વાડીનાં વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે; પણ દેવે કહ્યું છે કે, વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહિ, રખે તમે ભરો. અને સર્ષે સ્ત્રીને કહ્યું કે, તમે નહિજ મરશો, કેમકે દેવ જાણે છે કે તમે ખાશે તેજ દિવસે તમારી આંખો ઉઘડી જશે, ને તમે દેવના સરખા ભલુંÉડું જાણનારાં થશે. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઈચ્છવાજોગ એવું આ વૃક્ષ છે, તે જોઈને સ્ત્રીએ ફળ તેડીને ખાધું, ને તેની સાથે પિતાને વર હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું. ત્યારે તે બન્નેની આંખો ઉઘડી ગઈ, ને તેઓએ જાણ્યું કે અમે નાગાં છીએ; ને અંજીરીનાં પાતરાં સિવીને તેઓએ પોતાને સારૂ આચ્છાદન બનાવ્યાં. અને દિવસને દહાડે પહોરે વાડીમાં યહોવાહ દેવ ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો; ને તે બન્ને વૃક્ષમાં સંતાઈ ગયાં. અને યહોવાહ દેવે આદમને હાંક મારીને કહ્યું કે, તું ક્યાં છે? ને તેણે કહ્યું કે, મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગે તે માટે બીધે, ને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું, તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કીધી હતી, શું, તે તે ખાધું છે? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારૂ જે સ્ત્રી તેં મને આપી છે તેણે મને વૃક્ષ પરનું આપ્યું ને મેં ખાધું. અને યહોવાહ દેવે સ્ત્રીને કહ્યું, આ તેં શું કીધું છે? ને સ્ત્રીએ કહ્યું કે, સર્ષે મને ભુલાવી, ને મેં ખાધું. અને યહોવાહ દેવે સપને કહ્યું કે તેં કીધું છે તે માટે તું સર્વ ગ્રામપશુઓ તથા વનપશુઓ કરતાં શ્રાપિત છે; તું પેટે ચાલશે, ને
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy