SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સૃષ્ટિવાદ અને ઈશ્વર તે વખતે સ્ત્રીઓને પ્રતિમાસ ઋતુધર્મ આવતું ન હતું તેથી મિથુન ભોગવવા છતાં સંતતિને પ્રસવ થતો નહિ. आयुषोऽन्ते प्रसूयन्ते, मिथुनान्येव ताः सकृत् । (માઇ go કાશ) અર્થ–તે સ્ત્રીઓ કેવલ આયુષ્યના અંત ભાગમાં એક પુત્ર અને એક પુત્રી રૂપ યુગલને પ્રસવ કરતી હતી. આ યુગલોની સંતતિ પરંપરાથી પૃથ્વી ઉપર મનુષ્યો ફેલાઈ ગયા, તેથી પૃથ્વી પુરાઈ ગઈ. તે વખતે ટાઢ અને તાપ બહુ ન હતાં તેથી તે યુગલે તળાવ, નદી અને સમુદ્રકાંઠે યા પર્વત ઉપર રહેતાં હતાં અને ફરતાં હતાં. तृप्तिं स्वाभाविकी प्राप्ता, विषयेषु महामते ! न तासां प्रतिघातोस्ति, न द्वेषो नापि मत्सरः ॥ पर्वतोदधिसेविन्यो, ह्यनिकेतास्तु सर्वशः । ता वै निष्कामचारिण्यो, नित्यं मुदितमानसाः॥ (માઇ g૦ઝ કદ્દા ૨૪–૧૬) અર્થ_વિષયોમાં તેમને સ્વાભાવિક વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમને કઈ પ્રકારે વિન નાખનાર છે નહિ. નથી તેમનામાં દ્વેષ કે નથી ભસરપર્વત કે સમુદ્રને સેવનાર તેઓ મકાન તે બાંધતાજ ન હતા. હમેશાં નિષ્કામચારી હઈ ને પ્રસન્ન મનથી રહેતા હતા. તે સમયે મૂલ, ફળ, ફૂલ, ઋતુ, વર્ષ એ કંઈ ન હતું. તે સમયે અત્યંત સુખનો હતો. ઈચ્છામાત્રથી સહજા તૃપ્તિ થઈ જતી હતી. રસોલ્લાસવતી નામની સિદ્ધિ ઉપસ્થિત થઈને તેમની સઘળી અભિલાષા પુરી કરી દેતી હતી. તેઓ સ્થિરયૌવનવાળા હતા. સંકલ્પ વિના તેમની મિથુનપ્રજા ઉત્પન્ન થઈ જતી હતી. યુગલનાં જન્મ અને મૃત્યુ એક સાથે થતાં હતાં. चत्वारि तु सहस्राणि, वर्षाणां मानुषाणि तु । आयुःप्रमाणं जीवन्ति, न च क्लेशाद्विपत्तयः ॥ (मा० पु० अ०४६ । २४)
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy