SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈને આપણું મન ઊછળે છે. આ ખાઉં કે, આ ? આ લઉં કે આ? એવા ટાઈમે ઉછળતી ઈચ્છાને નિરોધ કરવા માટે વૃત્તિક્ષેપ તપ છે. ઈચ્છાને રેકવી, મર્યાદા બાંધવી તે આ વૃત્તિક્ષેપ તપ છે. ૫૦ માંથી મારે ૧૦ જ ખાવી છે, પ જ ખાવી છે. બસ, મારું પેટ ૫-૧૦ વસ્તુઓથી ભરાઈ જશે. શા માટે વધારે ખાવી ? આ પ્રમાણે મનને સમજાવીને ઈચ્છાની મર્યાદા કરી વસ્તુની સંખ્યા ઘટાડવી તે વૃત્તિક્ષેપ તપ કહેવાય. પ્રભુ મહાવીરે ૫ માસ અને રપ દિવસના ઉપવાસ તપનું પારણું ફક્ત અદા બાકળાથી જ કર્યું હતું, એમ મનને સમજાવવું. (૪) રસ ત્યાગ- ભજનમાં ખારે, મીઠ, કડ, તી, તૂરો, ખાટો વગેરે ૬ રસે છે, વડરસ ભજન કહેવાય છે. આ સોને સ્વાદ માત્ર જીભને થાય છે. અને જીભને જે ગમે તે રાગ-દ્વેષ-કલેશ કષાયના નિમિત્તો ઊભાં થાય છે. એટલા માટે આત્માને આ કલેશ – કષાય – રાગ-દ્વેષોથી બંધાતા કર્મથી બચાવવા માટે આ જીભના સ્વાદનાં તેફાન જ ઓછો કરીએ અથવા બંધ કરીએ તે કેટલું ઉત્તમ. અને સાથે સાથે એમાંથી ઘી, દૂધ, ગોળ, તેલ, કડાવિગઈ આદિ ક વિગઈઓને પણ ત્યાગ કરવામાં આવે તે કેટલુ સારૂં. ૬ વિગઈના ત્યાગપુર્વકના અને રસત્યાગપુર્વકના આહારને નીરસ આહાર કહેવાય છે. એવો આહાર તે આયંબિલ તપ રૂપે ગય છે જેનાથી ઈચ્છા ઉપર નિયંત્રણ થાય છે. અને તેથી ઘણું કર્મનિર્જરા થાય છે. નિર્જરા માટે આ પણ ઉત્તમ બાહ્ય તપ છે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy