SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ વેદપદેને સાચા અર્થ તું ન જાણતા હોવાથી તારા મન પ્રમાણે તેં અર્થ કર્યો અને બીજી બાજુ મેક્ષના વિષયમાં તું એમ પણ માને છે કે– નિર્વાણુ વળી કેવું હોતું હશે? કોઈ કહે છે કે, દીપકના નિવણની જેમ જીવને નાશ થઈ જાય છે તે જ નિર્વાણ કહેવાય છે. દીપકનું નિવણ થઈ ગયા પછી અથત ઓલવાઈ ગયા પછી દીપક કેઈ પૃથ્વી પર જ નથી, આકાશમાં જો નથી. કેઈ દિશા–વિદિશાઓમાં પણ જતો નથી. પરંતુ દીપકમાં રહેલ ઘી કે તેલને ક્ષય થવાથી તે કેવળ શાતિ પામે છે." તેમ નિવૃત્તિ નિર્વાણ (મોક્ષ) પામેલે જીવ પણ કઈ અન્ય પૃથ્વી પર જતો નથી, આકાશમાં તે નથી. દિશા-વિદિશાઓમાં જતો નથી. પરન્તુ કલેશને ક્ષય થવાથી કેવળ શાન્તિ પામે છે. આ પ્રમાણે દીપકના (નિર્વાણ) નાશની જેમ જીવને નાશ બૌદ્ધ માને છે, તેવા સ્વરૂપને મેક્ષ હશે ? કે પછી રાગ, દ્વેષ, મહ, મોહ, જન્મ, જરા, ગાદિ સર્વ દુઃખોને નાશ ક્ષય થવાથી કેવળજ્ઞાન – કેવળદર્શનરૂપ પરમાનંદમય જીવની વિશિષ્ટ વિદ્યમાન અવસ્થા તે મેક્ષ હશે ? १ 'दीपायथा निवृतिमभ्युपेतो नैवावनि गच्छति नान्तरिक्षम्। दिश न काचिद् विदिश न काञ्चिद् स्नेहक्षयात् केवलमेति शांतिम् । २ जीवस्तथा निवृत्तिमभ्युपेतो नैवावनि गच्छति नान्तरिक्षम्। दिशन काञ्चिद् बिदिश न काचित् क्लेश क्षयात् केवलमेति शांतिम् ॥ सोन्दरनौंद -१६-१८-१९ ३ केवल संविदर्श नरूपाः सर्वाति दुःखपरिमुक्ताः । मोदन्ते मुक्तिगता जीवाः क्षीणान्तरारिगणा. ॥
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy