SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ માટે રાખવો? આ તારી વાત બરાબર છે. એકાન્ત અનિત્ય છે આવું બેલનારા અનિત્યવાદીને નિરુત્તર કરવાના હેતુથી જ અત્રે એમ કહેવામાં આવે છે કે મેક્ષ, મુકતાત્મા એકાન્ત નિત્ય છે. પરંતુ હે મડિક ! વાસ્તવમાં તે પ્રત્યેક વસ્તુમાત્ર નિત્યાનિત્ય છે. સાપેક્ષભાવે જેવી જોઈએ અને સાપેક્ષભાવે જોતાં વસ્તુમાત્ર પર્યાયની ઉત્પત્તિ- નાશની દષ્ટિએ અનિત્ય અને દ્રવ્યત્વની દષ્ટિએ નિત્ય જ હોય છે. જેમકે એક ઘડે છે. માટીમાંથી બને. આ તેની ઉત્પત્તિ. અને એક દિવસ ઘડો ફૂટી ગયે. બજે અને ફૂટયે અર્થાત ઉત્પત્તિ અને વ્યય (નાશ) આ બને પર્યાયની અવસ્થા છે. પરંતુ આ બને પર્યાયોની અવસ્થામાં પણ માટી દ્રવ્ય તે નિત્ય જ રહ્યું ને ? બનવું, (ઉત્પન્ન થવું) ફૂટવું (નષ્ટ થવું) આ દષ્ટિએ ઘડા અનિત્ય છે. અને માટી દ્રવ્યની અપેક્ષાએ ઘડે નિત્ય છે. અર્થાત એક જ ઘડો નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એ જ પ્રમાણે મેક્ષે ગયેલ મુક્તાત્મા પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત છે. એક જીવ સંસારીરૂપે (સંસારી પર્યાયથી નાશ પામે છે. (વ્યય) અને મુક્તપણે, સિદ્ધપર્યાયપણે ઉત્પન્ન થાય છે. એક પર્યાય (સંસારી પર્યાય) નો નાશ અને બીજે પર્યાય (સિંહ પર્યાય) રૂપે ઉત્પત્તિ, અર્થાત આ બન્ને પર્યાયાન્તરમાં પર્યાય પરિવર્તનમાં અનિત્યતા આવી અને ઉપયોગાત્મક આદિ જીવ ગુણની દષ્ટિએ તે જીવ મેક્ષમાં નિત્ય જ રહેવાને છે. જીવત્વ, આત્મત્વ દ્રવ્યરૂપે આત્મા અનન્ત કાળ માટે મોક્ષમાં નિત્ય જ
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy