SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦મા ગણધરને- પરક તથા પકગામી આત્મા નથી, એવી શંકા જાગી. આ પ્રમાણે ત્રણે ગણધરોની શંકાનું સ્વરૂપ છે. ત્રણેને. ભેદપણું પેટ ખ્યાલ આવી જ હશે. બધાની શંકાને આધાર જે એક જ શ્લોક છે તેને પણ ખ્યાલ સ્પષ્ટ આવી તે હશે. ત્રણેની વિચારધારા નારિતકવાદી વિચારધારા હતી. પછી પ્રભુની સાથે ચર્ચા થઈ અને પરમાત્માએ તે શંકાઓનું સમાધાન કરી આપ્યું. અને આત્માદિ પદાર્થોની સિદ્ધિ કરી આપી તે આત્મા સિધિની યુકિતઓ ૨, ૩, ૫ માં આ ત્રણ વ્યાખ્યાનથી વાંચીને સમજી લેવી...અને પછી આ ૧૪-૧૫ મું વ્યાખ્યાન વાંચવું. જેથી સમજવા માટે સરળતા-સુગમતા રહેશે.) મેતાર્ય સ્વામીની શંકાને ઉત્તર મેતાર્યવામીએ કહ્યું- હે કૃપાસાગર સર્વજ્ઞ ભગવંત ! આપે મારા મનની શંકા અને શંકાની ઉત્પત્તિનું કારણ, દ્વિધા સંશયાદિનું વરૂપ તે યથાર્થ સાવ સાચુ પ્રગટ કર્યું પરતુ હે પ્રભુ ! તે શંકાનું સમાધાન પણ આપ જ કરે. કારણ, આપના વિના મને સમજાવનાર હવે બીજે કે શું છે? તે જે શંકા જાણી શકયા– શંકાની ઉત્પત્તિના કારણનું મૂળ આપ જાણું શકયા છે તે હવે તેને ઉત્તર પણ આપ જ જાણે છે માટે હવે હવે આપ જ મને સમજાવે. મારી શંકાનું નિવારણ કરી મારા ઉપર ઉપકાર કરે. ૧૦.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy