SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તે માની જ ન શકાય. કારણ કે તેમ માનવા જતાં સમસ્ત લેકવ્યવહારને જ ઉછેદ-નાશ થઈ જશે. પરંતુ તેમ કદાપિ થતું નથી. આ પ્રમાણે માનવામાં જ તટસ્થતા છે. દૃષ્ટાન્તથી આ વાત સમજવા જેવી એ પ્રમાણે છે કે, એક રાજા એની પુત્રી રાજકુમારીના રમવા માટેના સોનાના ઘડાને ભાંગી નાંખી રાજકુમારને સેનાને દડે બનાવી દે તે તેથી રાજકુમારી નારાજ થશે. તે રડવા માંડશે. અને રાજ. કુમાર રાજી થશે, રમવા માંડશે. પરંતુ સોનાના મુળ દ્રવ્યના રાજા તટસ્થ રહેશે. કારણ, સેનામાં કંઇ વધ-ઘટ થઈ નથી. તેમાં ફરક પડ નથી. માત્ર પર્યાય (આકાર) જ બદલાશે છે. માટે રાજાને તે, કોઈ હર્ષ-શેક નથી. ઔદાસીન્ય– માધ્યસ્થભાવ રહે છે. આ પ્રમાણે લોકવ્યવહાર પ્રત્યક્ષસિદ્ધ તથા અનુભવે સિદ્ધ છે. જે વર રાત્રી ઉત્પાદાદિ ત્રયાત્મક ન માનવામાં રાવે તે સારી વ્યવથા જ નહીં ચાલી શકે અને સર્વ પદાર્થોના ઉછેરની આપત્તિ આવશે. એટલા માટે પદાર્થ માત્ર ત્રયાત્મક સ્વભાવવાળે જ માનવે જોઈએ. પછી તે જડ પદાર્થો હોય અથવા ચેતન પદાર્થ હોય. ગમે તે હોય, ઉત્પાદાદિ ત્રયાત્મક આત્માની પરલોક-પુનર્જન્માદિસિદ્ધિ સર્વજ્ઞ–સર્વદશ શમણ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ જગતની વસ્તુ માત્રને ઉત્પાદ – વિનાશ – નિત્યવિભાવી એમ ત્રયાત્મક સમજાવતાં આત્મા-ચેતનદ્રવ્ય પણ કેવી રીતે ત્રયાત્મક, છે તે સમજાવતા કહ્યું : ૫૪
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy