SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મહાવીર–પરંતુ હે અકપિત ! તારી આ માન્યતા બરાબર નથી. તને જે વેદ વાકથી શંકા થઈ છે તે વેદ વાને તું વાસ્તવિક બરોબર અર્થ નથી કરતે માટે તને આ શંકા થઈ છે. જે બરાબર અર્થ કર્યો હેત અને પૂર્વપરનું અનુસંધાન સમયે હોત તે આ સવાલ ઊભે જ ન થાત. તે હવે પહેલાં એ વેદ વાકને સાચે વાસ્તવિક અર્થ તું સમજી લે. વેદવાક્યને વાસ્તવિક અર્થ "न ह ग प्रेत्य नरके नारकाः सन्ति" ભ. મહાવીર – હે અકપિત ! આ વેદવાકયથી તું જે નારક અને નરકને અભાવ સિદ્ધ કરે છે તે યોગ્ય નથી. આ વાકય અભાવ દર્શક નથી. પરંતુ એનું તાત્પર્ય એવું છે કે જેમ આ પૃથ્વી ઉપર અહીંયા મેરૂપર્વત આદિ જેમ શાશ્વતા નિત્ય છે તેમ નરકમાં નારકીઓ શાશ્વતા નથી. કાયમ ત્યાં જ રહેવાના છે તેમ નથી. પરંતુ જે પ્રાણી ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે. આ પ્રમાણે તે વેદ પદને અર્થ છે. અથવા ‘નારકી મારીને ફરીથી અનંતર એટલે તુરત પાછા નારકપણે ઉત્પન્ન થતા નથી એમ તે વેદ પદને અર્થ કરવાનું છે. એથી હે અકેપિત ! આ વિધિ વાક્યથી એમ કહેવાને આશય છે કે જે ઉત્કૃષ્ટ પાપ કરે છે તે અહીંથી મરીને પહેલેકમાં નારકી થાય છે. માટે કોઈએ પણ એવું પાપ ન કરવું, કે જેથી પરભવમાં નારકી થવું પડે. હૈ અકપિત ! વેદ વાકને યથાર્થ અર્થ અને વાસ્તવિકતા તું આ પ્રમાણે જાણ. વેદ વાકને ગૂઢ આશય સમજે તે સંશયને કેઈ સ્થાનને અવકાશ જ નથી રહેતું.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy