SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અoo ઉપવાસ સાથે વીસ સ્થાનક તપની આરાધના | તીર્થકર નામ કર્મની આ સર્વશ્રેષ્ઠ આરાધના પૂજ્યશ્રીની પ્રેરણાથી અદ્દભુત રીતે થઈ, ૪૦૦ ભાગ્યશાળીઓએ સામૂહિક ઉપવાસ કર્યા, શ્રી વીશસ્થાનક મહાપૂજન ભણવાયુ. અને આરાધનાથે શંકલ -સંઘને વીશ સ્થાનક યંત્ર અર્પણ કરવામાં આવ્યા. સામૂહિક અઠ્ઠમ તપની આરાધના- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ 'ભગવંતેના અઠ્ઠમ તપની આરાધના સંધમાં અનેરો ઉત્સાહપૂર્વક થઈ. નાના–મોટા ઘણાં જોડાયા. શ્રી ગૌતમ સ્વામીના છઠ્ઠ તથા ખીરના પારણા આદિની અનેકવિધ તપશ્ચર્યાઓ ઘણી થઈ. પર્યુષણ મહાપર્વની આરાધના મહાપર્વ પસણુની આરાધના અનેરા ઉત્સાહ સાથે થઈ, કલ્પસર શું છે?” જેવા વ્યાખ્યાને પૂજ્યશ્રીએ આપ્યા. બહુ વિસ્તારથી અષ્ટાબ્લિકા વ્યાખ્યાનમાં કર્તવ્ય સમજાવ્યા અને કલ્પસૂત્ર” સુંદર રીતે સ્પષ્ટ સ્મજાવ્યું. સંવત્સરી મહાપર્વના દિને પ્રતિક્રમણ શું છે એ ઉપર વ્યાખ્યાન આપ્યા પછી સમજાવી સમજાવીને સંવત્સરી પ્રતિક્રમણ સુંદર રીતે શાંતિપૂર્વક કરાવરાવ્યું છે. ૧૭ર ઉપર યુવાનોએ તથા અન્યોએ અઠ્ઠાઈતપની આરાધના કરી, ૨૧, ૧૬, ૧૫, ૧૧, ૧૦, -૯, આદિ ઉપવાસની સંખ્યામાં નાના-મોટા અનેક ભાઈ-બહેનોએ -તપશ્ચર્યા–આરાધના કરી. વિવિધ ફડ થયા. ખૂબ ઉત્સાહ સાથે પર્યુષણ મહાપર્વની આરાધના થઈ. ભાદરવા સુદ ૫ના રેજ તપસ્વીઓની વિશાળ થયાત્રા નિકળી હતી. ભવ્યચૈત્યપરિપાટી–શિબિરાથી યુવાને, અન્ય અઢીથી ત્રણ હજાર -ભાઈ–બહેને સાથે ચતુર્વિધ સંઘ સાથે જામનગર શહેરના સર્વ જિનચૈત્યેના દર્શનાર્થે ચૈત્યપરિપાટી નીકળી હતી. નાના-મોટા બધાએ પૂજ્ય ગુરૂદેવની સાથે પગપાળા ચાલીને દર્શન કર્યા હતા. અંતે સાધર્મિક ભકિત કરવામાં આવી હતી.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy