SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૬૨, સક્ષમ: વિસ્તા: ઉત્સર્પિણી આદિનું સ્વરૂપ ભાવાર્થ - રૂપ-રસ આદિના ઉત્કર્ષના કારણભૂત કાળ, એ ‘ઉત્સર્પિણી’ કહેવાય છે. રૂપ-રસ આદિની હાનિમાં કારણભૂત કાળ, એ ‘અવસર્પિણી' કહેવાય છે. ત્યાં અવસર્પિણીમાં સુષમસુષમા-સુષમાસુષમદુઃષમા-દુઃષમસુષમા-દુઃષમા-દુઃષમદુઃષમા રૂપ છ (૬) આરાઓ હોય છે. ઉત્સર્પિણીમાં પશ્ચાનુપૂર્વીથી તે જ છ (૬) આરાઓ છે. ५०१ વિવેચન - ‘રૂપ’ ઇતિ=ઉત્સર્પિણી શબ્દાર્થ જે કાળ-આરાઓની અપેક્ષાએ વધતો જાય છે તે અથવા રૂપ-૨સ આદિ ભાવોની વૃદ્ધિમાં કારણ તે કાળ (વિગ્રહ અપેક્ષાએ) ‘ઉત્સર્પિણી’ કહેવાય છે. અર્થાત્ રૂપ-૨સ આદિનો ઉત્કર્ષ (અહીં કાળસ્વરૂપની અપેક્ષાએ નિત્ય છે, એટલે તે કાળની હાનિયુક્ત નથી. નહિ તો રાત-દિવસ, (૩૦) ત્રીશ મુહૂર્તરૂપ જ થાય. પરંતુ અનંતગુણ પરિહાનિવાળા વર્ણ-ગંધ-રસસ્પર્શ આદિથી હીયમાન-ઘટતો, અનંતગુણવૃદ્ધિવાળી તે વર્ણ આદિથી વધતો કાળ ‘હીયમાનકાળ' અને ‘વર્ધમાનકાળ’ કહેવાય છે. એમ દ્રવ્યથી નિત્યપણું અને પર્યાયથી અનિત્યપણું છે. એવા આશયથી ‘રૂપ-રસ આદિ ઉત્કર્ષ ઇત્યાદિ રૂપે લક્ષણ રચેલું છે.) ક્ષેત્રમાં થાય છે. તેથી રૂપ-૨સ આદિના ઉત્કર્ષમાં કારણભૂત જે કાળ, તે ‘ઉત્સર્પિણી’ કહેવાય છે. અહીં આદિ પદથી અનુભવરૂપ આયુષ્યપ્રમાણે-શરીર આદિનું ગ્રહણ છે. ૦ દશ કોડાકોડી સૂક્ષ્મ અા સાગરોપમોથી બનેલો આ ઉત્સર્પિણીરૂપ વિશિષ્ટ કાળ છે. ૦ અવસર્પિણી શબ્દાર્થ=આરાઓની અપેક્ષાએ જે હીન થાય છે તે અથવા રૂપ-રસ આદિ ભાવોને ઘટાડવામાં કારણભૂત જે કાળ, તે (વિગ્રહની અપેક્ષાએ) ‘અવસર્પિણી.’ લક્ષણ સ્પષ્ટ છે. આ વિશિષ્ટ કાળ પણ ઉત્સર્પિણી જેટલા પરિમાણવાળો જ છે. ૦ વળી જ્યાં રૂપ-રસ આદિ ભાવો (સ્વરૂપો) ઘટતા કે વધતા નથી, તેવો વિશિષ્ટ કાળ, ‘નોઉત્સર્પિણી અવસર્પિણી' કહેવાય છે. મૂળમાં તો સુસ્પષ્ટ હોવાથી જુદું લક્ષણ કરેલું નથી. હવે અવસર્પિણીનો વિભાગ કરે છે. સુષમસુષમા=અત્યંત શોભન હોવાથી સુષમસુષમાને જ પહેલાં કહેવાની ઇચ્છાથી ક્રમનું ઉલ્લંઘન કરી અવસર્પિણીનો જ આદિમાં વિભાગ કરેલ છે. ૦ ‘સુષમસુષમા' ઇતિ=શોભન (સુંદર)સમા એટલે વર્ષો જ્યાં હોય છે. આ પ્રમાણે ‘સુષમા’ની વ્યુત્પત્તિ છે. અત્યંત સુષમા હોઈ-વીપ્સા હોઈ, દ્વિવા૨૫ણું હોઈ ‘સુષમસુષમા’-એમ સિદ્ધ થાય છે. અર્થાત્ સર્વ પ્રકારે દુઃષમાના પ્રભાવથીરહિત, એકાન્ત સુષમારૂપ ચાર કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળો આ કાળ છે. ૦ સુષમાત્રણ કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી, સુષમસુષમાની અપેક્ષાએ હાનિવાળી સમજવી. ૦ ‘સુષમદુઃષમા’ ઇતિ=અસુંદરસમા એટલે વર્ષો જ્યાં છે તે દુઃષમાં, સુષમા એવી દુઃષમા, એવો વિગ્રહ છે. સુષમાના પ્રચૂર પ્રભાવવાળી, દુઃષમાના અલ્પ પ્રભાવવાળી બે (૨) કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી જાણવી.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy