SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૧૮૫ एवमेभिरालोचनादिभिः कृच्छस्तपोविशेषैर्जनिताप्रमादः तं व्यतिक्रम प्रायश्चेतयति, चेतयंश्च न पुनराचरतीति । अतः प्रायश्चित्तम्, अपराधो वा प्रायस्तेन विशुध्यत इति । अतश्च प्रायश्चित्तमिति ॥९-२२॥ ભાષ્યાર્થ– પ્રાયશ્ચિત્ત નવ પ્રકારનું છે. તે આ પ્રમાણે- આલોચન, પ્રતિક્રમણ, આલોચન-પ્રતિક્રમણ, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન. આલોચન, વિવરણ, પ્રકાશન, આખ્યાન અને પ્રાદુષ્કરણ આ પ્રમાણે અનર્થાતર છે. પ્રતિક્રમણ, મિથ્યાદુષ્કૃતસંપ્રયુક્તપ્રત્યવમર્શ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગકરણ (આ પ્રમાણે એક અર્થ છે). તદુભય એટલે આલોચન અને પ્રતિક્રમણ બને. વિવેક, વિવેચન, વિશોધન અને પ્રત્યુપેક્ષણ એ પ્રમાણે અનર્થાતર છે. આ પ્રાયશ્ચિત્ત સંસક્ત અન્નપાન-ઉપધિ-શપ્યાદિમાં હોય. વ્યુત્સર્ગ અને પ્રતિષ્ઠાપન એ પ્રમાણે અનર્થાતર છે. આ (કાયોત્સર્ગ) પણ અષણીય અન્ન અને ઉપકરણાદિમાં તથા અશકનીય વિવેકવાળી વસ્તુઓમાં હોય. અનશનાદિ અને ચંદ્રપ્રતિમા વગેરે અનેક પ્રકારનો પ્રકીર્ણ બાહ્યતા છે. છેદ, અપવર્તન અને અપહાર એ પ્રમાણે અનર્થાતર છે. છેદ પ્રવ્રજ્યા દિવસ, પક્ષ, માસ અને વર્ષ એમાંથી કોઈનો થાય. પરિહાર પ્રાયશ્ચિત્તનું પરિમાણ એક માસ વગેરે છે. ઉપસ્થાપન, પુનર્દીક્ષણ, પુનશ્ચરણ અને પુનર્વતારોપણ એ પ્રમાણે અનર્થાતર છે. તે આ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેશ, કાળ, શક્તિ, સંહનન અને કાયઇંદ્રિય-જાતિ-ગુણોના ઉત્કર્ષથી કરેલી સંયમવિરાધનાને પામીને (=જોઇને) યથાયોગ્ય અપાય છે અને કરાય છે.
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy