SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૧૭૫ એક એક કોળિયો ઓછો કરવાથી ઘણાં સ્થાનો થાય છે. તે બધા સ્થાનો અવમૌદર્યવિશેષ છે. વનપરિસધ્યા ર રૂતિ પુરુષના બત્રીસ અને સ્ત્રીના અઠ્ઠાવીસ કોળિયા આહાર છે. એમાંથી વિભાગ કરવો. વૃત્તિપરિસંખ્યાનતપ વૃત્તિરિસનનેવિધ રૂક્ષ્યતિ જેનાથી (જીવન) ટકી રહે તે વૃત્તિ. વૃત્તિ એટલે ભિક્ષા. તેનું પરિસંખ્યાન એટલે ગણતરી. અથવા વૃત્તિ એટલે આગમોક્ત અભિગ્રહ. અથવા દત્તિઓની કે ભિક્ષાઓની ગણતરી. પટલક(=ટોપલી)થી કે દોહનક( દોણી) આદિથી પાત્ર વગેરેમાં એક વખતમાં જે નાખવામાં આવે તે દત્તિ છે. હાથથી ઉપાડીને અથવા કડછાથી કે 'ઉદકિકાથી જે આપે તે ભિક્ષા છે. આજે એક, બે કે ત્રણ દત્તિ લઇશ એમ દત્તિની ગણતરી તે વૃત્તિપરિસંખ્યાન છે. એ પ્રમાણે ગોચરી જતી વખતે ભિક્ષાઓની પણ ગણના કરે. તથા ઇત્યાદિથી અનેક પ્રકારના અભિગ્રહોને બતાવે છે ક્લિનિક્ષિણIક્તપ્રાન્તમક્ષાવલીનામુ” રૂત્યાદિ, પટલ, ઉદકિકા અને કડછી આદિ ઉપકરણથી દાન યોગ્ય હોવાથી આપનારે ઉપાડેલું હોય તે ઉલ્લિત છે. તેવું જો મેળવીશ તો લઈશ, બીજું નહિ. આ ઉત્સિત. ચર્યાઉક્લિપ્ત ભોજન છે. તથા બીજો આનાથી વિપરીત ગ્રહણ કરનાર નિક્ષિપ્તચરક છે. આદિ શબ્દથી બીજા અભિગ્રહો કહેવા. રૂક્ષકોદરા, ભાત અને આરનાલ આદિને ગ્રહણ કરનાર અંતચરક છે. ઠંડા ભાત આદિને ગ્રહણ કરનાર પ્રાંતચરક છે. આ પ્રમાણે ઉસ્લિપ્તચર્યા આદિમાંથી કોઈ એકનો અભિગ્રહ કરીને ભિક્ષા માટે ફરે. સવતુjન્માષૌનાવીનાં એવા ઉલ્લેખથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિભક્ત અભિગ્રહોનું સૂચન કરે છે. દ્રવ્યથી સાથવાને, અડદને કે છાશભાતને લઇશ એવો અભિગ્રહ કરે. આદિ શબ્દથી તક્ર, તેમન, ૧. ઘી-તેલ વગેરેને રાખવાનું વાસણ.
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy