SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સહાયકોનું સંસ્મરણ અનુવાદ પૂર્ણ કરી દેવા માત્રથી કાર્ય પૂર્ણ થઈ જતું નથી. અનુવાદ તૈયાર થયા પછી જ્યાં સુધી પુસ્તક રૂપે પ્રકાશિત ન થાય ત્યાં સુધી ઘણી જવાબદારી વહન કરવાની હોય છે. મુનિ શ્રીધર્મશેખરવિજયજીએ આ બધી જવાબદારી પોતાના શિરે લઇને મને એ જવાબદારીમાંથી મુક્ત કર્યો. આમ કરીને તેમણે મારા પ્રત્યે રહેલા હાર્દિક ભાવની અભિવ્યક્તિ કરી છે. અર્થની કે શબ્દની અશુદ્ધિ ન રહે એ માટે એમણે પ્રથમ અધ્યાયથી આરંભી દશમા અધ્યાય સુધીનું મેટર શાંતિથી અને એકાગ્રતાથી વાંચ્યું. પછી મુફ સંશોધનમાં પણ ઘણી મહેનત કરી રહ્યા છે. પ્રુફ સંશોધનમાં મુનિ દિવ્યશેખરવિજયજી પણ ઘણો સહયોગ આપી રહ્યા છે. મને આંખની તકલીફ થયા પછી બધો અનુવાદ લખવામાં (હું બોલું અને તે લખે એ રીતે) તેમણે જ લખી આપ્યો છે. ટીકાના પ્રારંભના ચાર અધ્યાયના અનુવાદની પ્રેસકોપી મુનિ શ્રી હિતશેખરવિજયજીએ કરી છે. બાકીના સંપૂર્ણ ભાષ્યસહિત ટીકાના અનુવાદની પ્રેસકોપી મુનિ શ્રીસુમતિશેખરવિજયજીએ સુવાચ્ય અક્ષરોમાં તૈયાર કરી છે તથા કોઈ કોઈ સ્થળે અનુવાદ લખવાનો રહી ગયો હોય તે અનુવાદ પણ તેમણે લખી આપ્યો છે. આ પ્રસંગે મને સાધુસેવા કરવાનો ગુણ જેના સ્વભાવમાં રહેલો છે તેવા મુનિ શ્રીકૈવલ્યદર્શનવિજયજી યાદ આવ્યા વિના રહેતા નથી. વિ.સં. ૨૦૬૪નાં વાપીનાં ચાતુર્માસમાં મને આવેલી બિમારીમાં તેમણે લગભગ બે મહિનાથી પણ અધિક સમય સુધી નિઃસ્વાર્થપણે મારી હાર્દિક સેવા કરી. મુનિ શ્રીદિવ્યશેખરવિજયજી માટે હું શું લખું? અને કેટલું લખું? એ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે. એમના માટે ટૂંકમાં એટલું જ લખું છું કે શરીર અનેક તકલીફોથી ઘેરાતું જાય છે અને અત્યંત કૃશ બનતું જાય છે એવી અવસ્થામાં મારા માટે એ જ સર્વસ્વ છે. દરરોજ સવારબપોર-સાંજે એ ત્રણે સમયે માતા જેમ બાળકને ખવડાવે તેમ મને આહાર
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy