SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૪ હોય ભીની કરી દીધી હોય, હાથી મહાવતનો આદશ્ન કરતો હોય એથી મહાવતે તીક્ષ્ણ અંકુશ વાપરીને આગળના ભાગમાં તીક્ષ્ણ વેધ કર્યો હોય એના કારણે હાથીને પીડા થઈ હોય આ રીતે મદકાળે અતિશય ઉન્મત્ત બનેલો હાથી સુખને પામતો નથી તેની જેમ મૈથુનસેવી સુખને પામતો નથી. મૈથુનસેવી સુખને પામતો નથી તેમાં વિપ્રમોશ્ચાત્તાવિત્તત્વ અને વિપ્રકીર્ણેન્દ્રિયત્વ એ બે હેતુઓ છે. મૈથુનસેવી વિક્રમથી(=વિલાસવિશેષથી) અનવસ્થિત ચિત્તવાળો હોવાથી અને વિષયોમાં ઇન્દ્રિયવૃત્તિને પ્રવર્તાવનારો હોવાથી સુખને પામતો નથી. અતૃપ્તને સુખની સાથે સંબંધ ક્યાંથી હોય? મોદભૂતશ ઇત્યાદિથી મોહનીયકર્મના ઉદયને સૂચવે છે. સ્ત્રીપુરુષ-નપુંસક વેદના ઉદયથી પરાભવ પામેલ તે (તથા=) પૂર્વે કહ્યું તેમ ચેષ્ટા કરે છે. પ્રશ્ન- તથા શબ્દનો પૂર્વે કહ્યું તેમ' એવો અર્થ કેવી રીતે કર્યો? ઉત્તર- (ત્ત શબ્દાત્ પૂર્વોક્તવિધિસમુન્વય =) ૨ શબ્દથી પૂર્વોક્ત વિધિનો સંગ્રહ થયો છે. તેથી તથા શબ્દથી “પૂર્વે કહ્યું તેમ એવો અર્થ થાય. મોહથી પરાભવ પામેલ જીવ ગ્રહાવેશવાળા પુરુષની જેમ આ કાર્ય છે, આ અકાર્ય છે એ જાણતો નથી. કારણ કે પરવશ છે. તેથી વિવેકરહિત હોવાથી બધા જ અશુભકાર્યનો પ્રારંભ કરે છે. બધાં જ કાર્યોને શુભ માને છે એવો અભિપ્રાય છે. પરંવાર ઇત્યાદિથી આ લોકના અને પરલોકના અનર્થોને બતાવ્યા છે. બીજાઓની દારા તે પરદારા. પરદારા એટલે બીજાઓએ સ્વીકારેલી સ્ત્રીઓ. પરદાર શબ્દથી વાચ્ય સઘળો મૈથુનવ્યાપાર(=મૈથુનપ્રવૃત્તિ) શ્રુતજ્ઞાનમાં(ત્રશાસ્ત્રમાં) પ્રતિષિદ્ધ છે. પરસ્ત્રીગમનથી ઉત્પન્ન થયેલી વૈરપરંપરા, શિરચ્છેદ(?લિંગછેદ), તાડન, બંધન, ધનાપહાર આદિ અનર્થોને પામે છે. આદિ શબ્દના ગ્રહણથી વિવિધ યાતનાઓને પામે છે.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy