SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૦ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૨૩૩ જોઈએ. જો નિરીક્ષણ નહિ કરેલા અને પ્રમાર્યા વિનાના સ્થળમાં ત્યાગ કરે તો પૌષધોપવાસવ્રતનું ઉલ્લંઘન કરે છે. આદાન એટલે પાટલો, પાટિયું વગેરે લેવું. તે પણ નિરીક્ષણ કરીને પ્રમાર્જીને લેવું જોઈએ. અન્યથા અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત આદાન અતિચાર થાય. નિક્ષેપ એટલે મૂકવું. નિક્ષેપ અંગે પણ આદાન પ્રમાણે જાણવું. તથા નિરીક્ષણ કર્યા વિનાના અને પ્રમાર્યા વિનાના ભૂમિભાગમાં સંસ્કારનો ઉપક્રમ કરવો. પૌષધોપવાસને સ્વીકારનારા વડે દર્ભતૃણ-કાશતૃણ-કામળી-વસ્ત્ર વગેરે જે પથરાય તે સંસ્તાર(=સંથારો). તેને ભૂમિભાગમાં પાથરવું તે સંસ્તારોપક્રમણ. અથવા દર્ભતૃણ વગેરે જે પાથરવામાં આવે તે નિરીક્ષણ કરીને અને પ્રમાને પાથરવું જોઇએ. અન્યથા અતિચાર લાગે. પૌષધોપવાસ પ્રત્યે અનાદર કરવો એ અતિચાર છે. પૌષધોપવાસને સ્વીકારવાની ક્રિયાનું જ વિસ્મરણ થવું અને પૌષધોપવાસનું જ વિસ્મરણ થવું તે મૃત્યનુપસ્થાપન છે. આ પ્રમાણે આ પાંચ પૌષધોપવાસ વ્રતના અતિચારો છે. (૭-૨૯) टीकावतरणिका- सम्प्रति प्रस्तावायातोपभोगपरिभोगातिचारान् वक्तुकाम आह ટીકાવતરણિતાર્થ– હવે પ્રસંગથી આવેલા ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રતના અતિચારોને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે– અગિયારમા વ્રતના અતિચારોसचित्तसम्बद्धसंमिश्राभिषवदुष्पक्वाहाराः ॥७-३०॥ સૂત્રાર્થ–સચિત્તઆહાર, સચિત્તસંબદ્ધઆહાર, સચિત્તસંમિશ્રઆહાર, અભિષવઆહાર અને દુષ્પક્વઆહાર એ પાંચ ઉપભોગ-પરિભોગપરિમાણ વ્રતના અતિચારો છે. (૭-૩૦) भाष्यं- सचित्ताहार, सचित्तसम्बद्धाहारः, सचित्तसंमिश्राहारः, अभिषवाहारः, दुष्पक्वाहार इत्येते पञ्चोपभोगव्रतस्यातिचारा भवन्ति I૭-રૂમ
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy