SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-પુણ્ય-પાપ-મોક્ષ સૂત્ર-૧૮ નિત્ય I (૧) કાળ (૨) ઇશ્વર સ્વથી (૩) આત્મા (૪) નિયતિ (૫) સ્વભાવ અનિત્ય T (૧) કાળ (૨) ઇશ્વર (૩) આત્મા (૪) નિયંતિ (૫) સ્વભાવ પરથી નિત્ય (૧) કાળ (૨) ઇશ્વર (૩) આત્મા (૪) નિયતિ (૫) સ્વભાવ ૧૯૩ અનિત્ય T (૧) કાળ (૨) ઇશ્વર (૩) આત્મા (૪) નિયતિ (૫) સ્વભાવ (જીવ વગેરે નવ તત્ત્વો x સ્વ અને પર=૧૮ ભેદો. તેના નિત્ય અને અનિત્ય બે ભેદ=૩૬. તેના કાળ વગેરે પાંચ ભેદો=૧૮૦ ભેદો કુલ થયા.) પછી વિકલ્પોને ઉત્પન્ન કરે છે- જીવ સ્વથી નિત્ય છે કાળથી એમ એક વિકલ્પ છે. વિકલ્પનો અર્થ આ છે- કાળવાદીઓના મતે આ આત્મા ચેતનરૂપે વિદ્યમાન છે. કહેલા જ અભિલાપથી ઇશ્વરને કારણ માનનારનો વિકલ્પ કહેવો. ત્રીજો વિકલ્પ- આ જે કંઇ છે તે પુરુષ જ છે ઇત્યાદિ આત્મવાદીનો વિકલ્પ કહેવો. ચોથો વિકલ્પ નિયતિવાદીનો કહેવો. પાંચમો વિકલ્પ સ્વભાવવાદીનો કહેવો. આ પ્રમાણે ‘સ્વથી’ પાંચ વિકલ્પો પ્રાપ્ત થયા. ‘પરથી’ પણ પાંચ વિકલ્પો પ્રાપ્ત થાય છે. ‘નિત્યત્વ’ સહિત આ દશ વિકલ્પો થયા. એ પ્રમાણે ‘અનિત્યત્વ’થી પણ દશ વિકલ્પો થાય. બધા મળીને વીસ વિકલ્પો જીવપદાર્થથી પ્રાપ્ત થયા. અજીવાદિ આઠમાં પણ એ પ્રમાણે જ દરેક પદમાં વીસ વિકલ્પો થાય. આથી વીસને નવથી ગુણવાથી ૧૮૦ ભેદો ક્રિયાવાદીઓના છે. (૨) અક્રિયાવાદી– અક્રિયાવાદીઓના સ્વરૂપનું કથન નામથી જ(=અત્યંત સંક્ષેપમાં જ) કરવામાં આવે છે. અક્રિયાવાદીઓ આત્મા ૧. કાળવાદીના મતે આ સંપૂર્ણ જગત કાળકૃત છે.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy