SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૩ અતિશાયન- અતિશાયન અર્થમાં પણ એ પ્રમાણે જ છે. મિથ્યાત્વાદિ દૂર થવાથી પ્રકૃષ્ટ સંબંધનો વ્રતની સાથે સંબંધ હોવાથી વ્રતિપણું છે. ભૂમાર્થ– ભૂમાર્થમાં પણ પૂર્વોક્ત ભાવનાઓથી જેણે ચિત્તને સ્થિર કર્યું છે તેવા, અપાયઅવદ્યનું દર્શન કરનાર, બુદ્ધિમાન, સંસારની સર્વ ક્રિયાસમૂહમાં દુઃખબુદ્ધિ હોવાથી વિષયોના કુતૂહલની ઉત્સુકતાથી રહિત, મૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યચ્યમાં ચિત્તની એકાગ્રતાના કારણે જેણે મિત્રતા પ્રાપ્ત કરી છે તેવા, જેની મતિ જન્મ-મરણથી ખેદ પામેલી છે તેવા, જેણે શરીરનો સ્વભાવ જોયો-જાણ્યો છે તેવા, મુક્તિ પ્રત્યે સાવધ ચિત્તવાળા અને માયા-નિદાન-મિથ્યાત્વશલ્યથી રહિતનો વ્રતોની સાથે સંબંધ થવાથી વ્રતિપણું છે, આ પ્રમાણે ચિત્તમાં રાખીને આચાર્ય “અહીં કહેવાય” છે એમ કહે છેવ્રતીની વ્યાખ્યાનિ:શો વ્રત ૭-રૂા સૂત્રાર્થ– અહિંસાદિ વ્રતસહિત જે શલ્યરહિત હોય તે વ્રતી કહેવાય છે. (૭-૧૩) भाष्यं- मायानिदानमिथ्यादर्शनशल्यैस्त्रिभिर्वियुक्तो निःशल्यो व्रती भवति । व्रतान्यस्य सन्तीति व्रती । तदेवं निःशल्यो व्रतवान् व्रती મવતીતિ II૭-રૂા. ભાષ્યાર્થ-માયા-નિદાન-મિથ્યાદર્શન શલ્યોથી વિમુક્ત નિઃશલ્ય વતી છે. વ્રતો જેને છે તે વતી. આ પ્રમાણે શલ્યરહિત વ્રતવાળો જીવ વ્રતી છે. (૭-૧૩) टीका- शलतीति शल्यमौणादिको यः प्रत्ययः, अन्तर्भिनत्ति कण्टकादि, तच्चावतिष्ठमानं वपुषि बलारोग्यपरिहाणिमापादयति शरीरिणस्तद्वन्मायानिदानमिथ्यात्वान्यन्तरात्मनि वर्तमानानि संयमस्वरूपभेदित्वादनारोग्यमात्मनः क्लेशज्वरलक्षणं ज्ञानचरणवीर्यहानि च
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy