SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસરા હિમાચલ આસો - A-૧૮) આલંબન રહેલાં હોય, તે ક્રિયા શુભ ચિત્તના લાભનું કારણ છે. એવું સમર્થન કર્યું છે. લલિતવિસ્તરા ગ્રન્થનો મૂળ મુદ્દો એ છે કે ચૈત્યવંદનની ક્રિયામાં જે ચૈત્યોને વંદન કરવામાં આવે છે, તે શ્રી અરિહંતોના બિંબો છે અને બિંબોનું નામ “ચૈત્ય' એટલા માટે છે કે તેમને કરેલા વંદનાદિ સમસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે. શ્રી અરિહંતોના બિબોમાં પ્રશસ્ત સમાધિવાળું ચિત્ત ઉત્પન્ન કરવાનું સામર્થ્ય શાથી આવે છે ? એ પ્રશ્નનો ઉત્તર ભાવ અરિહંતનું સ્વરૂપ જાણવાથી મળી રહે છે. - આ વૃત્તિમાં જે સૂત્ર ઉપર પ્રથમ વિવરણ કર્યું છે, તે સૂત્રનું નામ “મોલ્યુ' સૂત્ર છે, તેને શક્રસ્તવ પણ કહેવાય છે. તેમાં “ભાવઅરિહંત'ના સ્વરૂપને જાણવા માટે તેત્રીસ વિશેષણો આપવામાં આવ્યા છે અને તે પ્રત્યેક વિશેષણ કેટલું અર્થગંભીર છે, તે સમજાવવા માટે પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અસાધારણ પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ફળ રૂપે આપણને જાણવા મળે છે કે તીર્થકર ભગવંતોનો સંબંધ ત્રણ લોકની સાથે રહેલો છે. તેમણે ત્રણે લોકના સમસ્ત જીવોના કલ્યાણની કામના કરેલી છે, તીવ્ર ભાવના ભાવેલી છે. સર્વજીવોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટેનો માર્ગ શું હોઈ શકે તેના સંપૂર્ણ સાક્ષાત્કાર માટે અને તેમાં પ્રતિબંધક કર્મના નિર્મુલ ક્ષય માટે તીવ્ર તપ તપ્યા છે, ઉગ્ર સંયમ પાળ્યા છે, ઘોર પરીષણો અને ઉપસર્ગો સહ્યાં છે ઊપરાંત ગુરુકુળવાસમાં વસી શાસ્ત્રોના વિધિપૂર્વક અભ્યાસ કર્યા છે અને તે સમગ્ર સાધનાના પરિણામે વિશુદ્ધ સમ્યક્દર્શન અને પરહિત ચિંતનનો પ્રબળ અધ્યવસાય હોવાથી તેઓશ્રીને સર્વ પુણ્યપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ એવી તીર્થંકર નામકર્મની પ્રકૃતિ નિકાચિત થાય છે . તે પુણ્ય પ્રકૃતિના વિપાકોદય વખતે તેઓ વીતરાગ હોવા છતાં ત્રણ ભુવનને સુખ કરનારું અને ભવોદધિ તારનારૂં તીર્થ સ્થાપે છે. આ તીર્થના આલંબને અનેક કોટી જીવો પોતાનું १ चित्तस्थ भावः कर्म वा चैत्यम् इति व्युत्पतेः । કલ્યાણ સાધે છે. આવો ભવ્ય ઉપકાર શ્રી તીર્થકર દેવોના આત્માઓથી જ થઈ શકે છે. પણ બીજાઓથી નહિ. તેનું કારણ આપતાં વૃત્તિકાર મહર્ષિ શ્રી તીર્થકર ભગવંતનાં “પુસુિત્તમ” એ વિશેષણનું વિવરણ કરતાં ફરમાવે છે કે શ્રી તીર્થકરોના આત્માઓમાં અનાદિકાલીન વિશિષ્ટ યોગ્યતા રહેલી છે. અને તે યોગ્યતા તેમનામાં આવા પ્રકારની પરાર્થરસિકતા ઉત્પન્ન કરે છે કે વરબોધિના લાભ વખતે તેઓ પોતાના સ્વાર્થને ગૌણ કરનારા અને પરના ઉપકારને મુખ્ય બનાવનારા બની રહે છે અને એ યોગ્યતા તેમની પરાર્થવ્યસનિયતામાં પ્રેરક બને છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે પુરૂષોમાં શ્રી તીર્થકર ભગવંતો ઉત્તમ એટલા માટે છે કે તેમનામાં જેવી પરાર્થવ્યસનિયતા અને સ્વાર્થઉપસર્જનતા દેખાય છે, તેવી બીજા જીવોમાં દેખાતી મકરસૂરિ મ.સા. ગજરાતી અનુવાદક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy