SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અન્નત્ય સૂત્ર ગ્રહણ છે તેમ પદ્વવાડિમાનામાં આદિ પદથી દંડક સૂત્રના કાઉસ્સગ્નનું માન આઠ ઉચ્છવાસનું ગ્રહણ છે.) સમાનાજાતીયના ગ્રહણથી અહીં=સમુહ ઈત્યાદિ સૂત્રમાં, આનું રજોહરણ આદિ ઉપધિનું, ગ્રહણ છે જ અને મુખવત્રિકાનું સમાન જાતીય શેષ ઉપકરણ છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ત્યાં પણ સામુ ઈત્યાદિ ગાથામાં પણ, તમાન કાયોત્સર્ગરૂપ=આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગરૂપ, સમાનાતીયપણું છે જ=ાઈવ - પરિવરનામાની જેમ પ્રસ્તુત દંડક સૂત્રનું સમાન પ્રમાણ કાયોત્સર્ગપણું છે, એથી અભિનિવેશનો ત્યાગ કરાવો પ્રસ્તુત દંડક સૂત્રના કાઉસ્સગ્ગમાં ભુજાના પ્રલંબમાત્ર કરાય છે પરંતુ આઠ ઉચ્છવાસ પ્રમાણ નથી એ પ્રકારના આગ્રહનો પૂર્વપક્ષી ત્યાગ કરે. અને આ પ્રસ્તુત દંડક સૂત્રનો કાઉસ્સગ્ન આઠ ઉચ્છવાસ છે એ, સાધુ આદિ લોકથી અનાચરિત જ નથી; કેમકે કોઈક ઠેકાણે કોઈક સાધુ-શ્રાવકોમાં, તેના આચરણની ઉપલબ્ધિ છે. અહીં પૂર્વપક્ષી કહે કે કોઈક સાધુ કે શ્રાવક જે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે, તેમ કોઈક સાધુ કે શ્રાવક ભુજાના પ્રલંબમાત્રરૂપ જ કાયોત્સર્ગ કરે છે માટે કેટલાક સાધુ-શ્રાવકોની આચરણાથી આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ જ કર્તવ્ય છે તેમ સિદ્ધ થાય નહિ, તેથી બીજો હેતુ કહે છે – આગમના જાણનારાઓની આચરણાનું શ્રવણ છે=આગમના જાણનારાઓ પ્રસ્તુત દંડક સૂત્રથી આઠ શ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે છે એ શ્રવણ છે, અને આવા પ્રકારનું આચરિત પણ પ્રમાણ નથી કેટલાક સાધુ અને શ્રાવક ભુજાપલંબમાત્ર કાઉસ્સગ્ન કરે છે એવા પ્રકારનું આચરિત પણ પ્રમાણ નથી; કેમ કે તેના લક્ષણનો અયોગ છે કેટલાક સાધુઓ અને શ્રાવકો આઠ શ્વાસોચ્છવાસને છોડીને ભુજાના પ્રલંબમાગરૂપ કાયોત્સર્ગ કરે છે તેમાં સુવિહિતની પરંપરારૂપ લક્ષણનો અયોગ છે, અને કહેવાયું છે – અશઠ વડે જે આચરાયેલું કોઈક સ્થાનમાં કોઈક કૃત્ય અસાવધ છે, અન્ય વડે નિવારણ કરાયું નથી અને આ આચરિત બહુને અનુમત છે. પૂર્વમાં કહ્યું કે ભુજાના પ્રલંબમાત્રરૂપ કાયોત્સર્ગની આચરણામાં સુવિહિતની પરંપરાનું લક્ષણ નથી, માટે પ્રમાણભૂત નથી, ત્યારપછી સુવિહિતની પરંપરાનું લક્ષણ શું છે તેમાં સાક્ષીરૂપે ઉદ્ધરણ બતાવ્યું અને તે કથનમાં ત્રણ વસ્તુ કહેલ – જે અસાવદ્ય હોય, અન્ય વડે અનિવારિત હોય અને અન્ય બહુ સુવિહિતોને અનુમત હોય તે સુવિહિતની પરંપરારૂપ આચરણ છે અને તે ત્રણ અંગો ભુજાના પ્રલંબમાત્રરૂપ કાઉસ્સગ્નમાં ઘટતાં નથી, તે સ્પષ્ટ કરતાં કહે છે – અને આ=ભુજાના પ્રલંબમાગરૂપ આચરિત, અસાવધ નથી અર્થાત્ સાવધ છે; કેમ કે સૂત્રના અર્થનો વિરોધ છે. કેમ સૂત્રના અર્થનો વિરોધ છે ? તેમાં હેતુ કહે છે – સૂત્રના અર્થનું પ્રતિપાદિતપણું છે–પૂર્વમાં બતાવેલું કે બે પ્રકારના કાયોત્સર્ગ છે અને ચેષ્ટા કાયોત્સર્ગ ઉચ્છવાસ પ્રમાણ હોય છે અને તે જઘન્ય આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ છે તે સ્વાર્થનું
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy