SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તા ભાગ-૩ ૧૨ તેવા પ્રકારના ભાવથી જ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે પણ ‘આ આપણા ભગવાન છે, માટે પૂજા કરવી જોઈએ' એવા સ્થૂલ બોધથી વિવેકી શ્રાવક પ્રવૃત્તિ કરતા નથી પરંતુ ભગવાનમાં વર્તતા ક્ષાયિક ચારિત્રને જોઈને જગદ્ગુરુની ભક્તિ કરવાના પરિણામવાળા થઈને દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરે છે, તેથી ભગવાનની પૂજાના કાળમાં ક્ષાયિક ચારિત્ર પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનનો પરિણામ દોષાંતરની નિવૃત્તિથી દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરાવે છે. અહીં સ્થૂલથી જોનારા કોઈકને જણાય કે શ્રાવક ભગવાનની પૂજા કરે છે ત્યારે વ્યાપારવાણિજ્યરૂપ આરંભ-સમારંભની નિવૃત્તિ છે, તેમ શયનક્રિયામાં કે અન્ય તેવા પ્રકારની નિર્વ્યાપારની પ્રવૃત્તિમાં પણ આરંભ-સમારંભની નિવૃત્તિની પ્રાપ્તિ છે, તેના નિરાકરણ માટે કહે છે - - દ્રવ્યસ્તવને છોડીને શ્રાવક શયનક્રિયા કરે કે નિર્વ્યાપાર રહે ત્યારે વીતરાગના ગુણોને સ્પર્શનારું રમ્ય ચિત્ત નથી, તેથી શ્રાવકનો ભોગ પ્રત્યેનો સંશ્લેષનો પરિણામ તે ક્રિયાથી ક્ષીણ થતો નથી, પરંતુ દ્રવ્યસ્તવ કરે છે ત્યારે વીતરાગના ગુણોને સ્પર્શનારું ચિત્ત હોવાથી ભોગ પ્રત્યેનો સંશ્લેષનો પરિણામ અવશ્ય ક્ષીણ થાય છે, તેથી શ્રાવક માટે દોષાંતરથી નિવૃત્તિનો ઉપાય અન્ય કોઈ નથી, પરંતુ દ્રવ્યસ્તવ જ છે. લલિતવિસ્તરા ઃ नागभयसुतगर्त्ताकर्षणज्ञातेन भावनीयमेतत् । तदेवं साधुरित्थमेवैतत्संपादनाय कुर्वाणो नाविषयः, वचनप्रामाण्यात्, इत्थमेवेष्टसिद्धेः, अन्यथाऽयोगादिति । લલિતવિસ્તરાર્થ : નાગના ભયથી પુત્રને ખાડામાંથી ખેંચવાના દૃષ્ટાંતથી આ=સાધુને દ્રવ્યસ્તવની દેશના દ્વારા કારણ, ભાવન કરવું જોઈએ. સાધુને દ્રવ્યસ્તવની અનુમતિ છે અને ઉપદેશથી કરાવણ છે તેમ યુક્તિથી સ્થાપન કર્યું તેનું તત્ત્વથી નિગમન કરે છે આ રીતે જ=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે જ, આના સંપાદન માટે= દ્રવ્યસ્તવના સંપાદન માટે, ‘અરિહંત ચેઈયાણં' સૂત્રથી પ્રયત્ન કરતા સાધુ અવિષય નથી=કાયોત્સર્ગ દ્વારા પૂજા-સત્કારનું ફળ થાવ એ પ્રકારે કહેવાનો અવિષય નથી; કેમ કે વચનનું પ્રામાણ્ય છે= અરિહંત ચેઈયાણં સૂત્ર ગણધરરચિત છે તે વચનનું પ્રમાણપણું છે. કેમ વચનના પ્રામાણ્યથી સાધુને પૂજન-સત્કારના ફલની ઇચ્છા કરવી જોઈએ ? તેમાં હેતુ કહે છે — આ રીતે જ ઈષ્ટની સિદ્ધિ છે=સાધુ કાયોત્સર્ગથી પૂજન-સત્કારના ફલની ઈચ્છા કરે એ રીતે જ જગદ્ગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થવાથી સાધુને સંયમની વૃદ્ધિરૂપ ઇષ્ટની સિદ્ધિ છે, અન્યથા=સાધુ કાયોત્સર્ગ દ્વારા પૂજન-સત્કારના ફ્લની ઈચ્છા ન કરે તો, અયોગ છે=સંયમના કંડકોની વૃદ્ધિનો અયોગ છે. પંજિકા ઃ યમિત્યા- ‘નાને'ત્યાતિ, નામથેન=સર્પમીત્વા, સુતસ્થ=પુત્રસ્ય, ગર્ભા=શ્વપ્રાપ્, આવર્ષળ=
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy