SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ લલિતવિસ્તરા ભાગ-૩ થાય એમાં, પૂર્વપક્ષી હેતુને કહે છે – સર્વ સર્વદર્શીનું=ઋષભદેવ આદિ સર્વજ્ઞનું, તપૂર્વકપણું છેઃ વચનપૂર્વકપણું છે, આ પણ=ઋષભદેવ આદિ સર્વ વચનપૂર્વક છે એ પણ, શેનાથી ?=શેનાથી સિદ્ધ છે? એથી હેતુને કહે છે – તપૂર્વક અરિહંતો છેઃવચનપૂર્વક અરિહંતો છે, એ પ્રકારનું તમારું વચન છે. અથથી કહે છે – અનાદિ અરિહંતનું સંતાન થાય=વચનપૂર્વક અરિહંતો છે એ વચનથી અનાદિ અરિહંતનું સંતાન થાય, તેનાથી કેવી રીતે પૌરુષેય વચન નથી? અર્થાત્ પૌરુષેય વચન નથી એ કઈ રીતે સિદ્ધ થાય ? એ પ્રકારે આશંકા કરીને કહે છે એ પ્રકારની આશંકા નિવારણ માટે હેતુ કહે છે. તેમના અનાદિપણામાં પણતેઓના અર્થાત્ અરિહંતોના અનાદિપણામાં પણ અર્થાત પ્રવાહથી અનાદિપણામાં પણ, તેનું અનાદિપણું હોવાથી તે વચનનો અનાદિ ભાવ હોવાથીeતીર્થંકરની નિષ્પતિના કારણભૂત વચનનો અનાદિ ભાવ હોવાથી, તથાત્વની સિદ્ધિ છે=અપૌરુષેયત્વની સિદ્ધિ છે=તીર્થકરત્વની પ્રાપ્તિના કારણભૂત હ્યુતવચનના અપૌરુષેયત્વની સિદ્ધિ છે, આવા જ વિપર્યયબાધક એવા પક્ષાંતરને કહે છે=અપૌરુષેયત્વતા જ વિપર્યય એવા પૌરુષેયત્વના બાધક પક્ષાંતરને કહે છે – અને એકનું અવચનપૂર્વકપણું તે પણ તંત્રવિરોધી છે એમ અવય છે, જો અપૌરુષેય વચન ઈચ્છા, નથી=સ્યાદ્વાદી સ્વીકારતા નથી, તો આદિમાં વચન પ્રવર્તક કોઈક એક અરિહંત અવચનપૂર્વક સ્વીકારવા જોઈએ એ પ્રકારનો પૂર્વપક્ષીનો ભાવ છે, તો આ રીતે પણ=કોઈ એક અરિહંત અવચનપૂર્વક છે અને શેષ સર્વ અરિહંતો વચનપૂર્વક છે માટે અપીરુષેય વચન છે એ રીતે પણ, હો, એ પ્રકારની આશંકા કરીને પર જ કહે છે–પૂર્વપક્ષી સ્યાદ્વાદીને કહે છે – તે પણ તંત્ર વિરોધી છે અવચનપૂર્વકપણું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષ માર્ગ છે એ આગમનું વિરોધી છે, કયા કારણથી છે? એથી કહે છેઃ એક અરિહંતનું અવચનપૂર્વકપણું આગમવિરોધી કયા કારણથી છે ? એથી હેતુને કહે છે – વ્યાયથી અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે=સદ્ અકારણવાળું નિત્ય હોય અર્થાત્ જે સદ્ હોય અને કારણ વગરનું હોય તે નિત્ય છે એ પ્રકારના નિત્યના લક્ષણના વ્યાયથી અનાદિ શુદ્ધ પરિકલ્પિત સદાશિવ આદિની જેમ કોઈક અરિહંત છે એ પ્રકારના વાદનો પ્રસંગ છે, રૂતિ શબ્દ પરની વક્તવ્યતાના સમાપ્તિ અર્થવાળો છે. પરપક્ષની આશંકા કરીને ઉત્તરને કહે છે પૂર્વમાં પૂર્વપક્ષીની આશંકા કરી કે સ્યાદ્વાદીના મતે પણ અપૌરુષેય વચન થશે તેવી આશંકા કરીને હવે ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપે છે – આ પર વડે કહેવાયેલું, નથી જ=સ્યાદ્વાદીને અપીરુર્ષય વચન સ્વીકારવાની આપત્તિ છે એ પ્રકારે પર વડે કહેવાયેલું વચન સંગત નથી જ, આમાં પૂર્વપક્ષીનું વચન સંગત નથી એમાં, હેતુને કહે છે – અનાદિપણામાં પણ પુરુષના વ્યાપારનો અભાવ હોતે છતે વચનની અનુપપતિ હોવાને કારણે તથાત્વની અસિદ્ધિ છે=વચનના અવિદ્યમાન આદિ ભાવમાં પણ વચન પ્રવર્તકના તાલ આદિ વ્યાપારનો અભાવ હોતે છતે પૂર્વમાં કહેવાયેલ વ્યુત્પત્તિવાળા વચનનો અયોગ હોવાથી અપૌરુષેયત્વની અસિદ્ધિ છે, પક્ષાંતરને પણ નિરાસ કરતાં કહે છે–પૂર્વપક્ષીએ પૂર્વમાં કહેલ કે તમારા તીર્થકરો
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy