SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ લલિતવિક્તા ભાગ-૩ આદિ અપ્રધાન સિદ્ધો છે અને મોક્ષમાં ગયેલા પ્રધાન સિદ્ધ છે, અથવા અંધકારથી ઊર્થ એ ઉત્તમસઃ છે; કેમ કે ઉત્ શબ્દ પ્રાબલ્ય, ઊર્ધ્વગમન અને ઉચ્છેદનમાં છે એ પ્રકારનું વચન છે, વળી, પ્રાકૃતશૈલીથી ઉત્તમસ ને બદલે ઉત્તમા કહેવાયા છે. સિદ્ધ શબ્દની વ્યુત્પત્તિ કરે છે – સિદ્ધો=સિત અર્થાત્ બદ્ધ એવું કર્મ બાત છે આમનું અર્થાતુ નાશ કરાયું છે આમનું એ સિદ્ધો અર્થાત્ કૃતકૃત્ય એ પ્રકારનો અર્થ છે, આવા ઉત્તમ સિદ્ધો આરોગ્ય બોધિલાભને આપો એમ અન્વય છે. આરોગ્ય બોધિલાભનો અર્થ સ્પષ્ટ કરે છે – અરોગનો ભાવ કર્મરૂપી ભાવરોગના અભાવનો ભાવ, આરોગ્ય=સિદ્ધત્વ, તેને માટે બોધિનો લાભ આરોગ્ય બોધિલાભ=જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ=ભગવાનના વચનનો તત્ત્વથી સ્પર્શ થાય તેવા જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ બોધિલાભ કહેવાય છે, તેને આપો=સિદ્ધ ભગવંતો આપો એમ અન્વય છે, અને અનિદાન એવો તે=આરોગ્ય માટે બોધિલાભનો અભિલાષ, મોક્ષ માટે જ પ્રશંસા કરાય છે=મોક્ષ માટે જ થાય છે, અને તેના માટે જ=બોધિલાભ માટે જ, શું?=શું પ્રાપ્ત થાય? આથી કહે છે – સમાધાન સમાધિ=ચિતની સ્વસ્થતાની પરિણતિ, અને તે સમાધિ, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે, ત્યાં બે પ્રકારત્ની સમાધિમાં, દ્રવ્ય સમાધિ જેના ઉપયોગથી=જે ઔષધ આદિના ઉપયોગથી, સ્વાધ્ય થાય છે=દેહનું આરોગ્ય થાય છે, અથવા જેઓનો અવિરોધ થાય છે કોઈકની સાથે વિરોધ હોય અને કોઈક રીતે સમાધાન થાય ત્યારે જેઓનો અવિરોધ થાય તે દ્રવ્યસમાધિ, વળી, ભાવસમાધિ જ્ઞાનાદિનું સમાધાન જ છે=સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન-સમ્યગ્વારિત્રનું આત્માને સ્પર્શે તે રીતે સેવન જ છે; કેમ કે તેઓના ઉપયોગથી જ રત્નત્રયીના સમ્યગુ સેવનથી જ, પરમ સ્વાધ્યનો યોગ છે અને જે કારણથી આ=સમાધિ, આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, બે પ્રકારે છે દ્રવ્યના અને ભાવના ભેદથી બે પ્રકારે છે, આથી દ્રવ્યસમાધિના વ્યવચ્છેદ માટે કહે છે - વર=પ્રધાન એવી ભાવસમાધિ એ પ્રકારનો અર્થ છે=ભાવસમાધિ આપો એ પ્રકારનો અર્થ છે, આ પણ=ાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ પણ, તારતમ્યના ભેદથી અનેક પ્રકારે જ છે, આથી કહે છે – ઉત્તમ=સર્વોત્કૃષ્ટ, આપો સિદ્ધ ભગવંતો સર્વોત્કૃષ્ટ એવી જ્ઞાનાદિના સમાધાનરૂપ ભાવસમાધિ મને આપો. ભાવાર્થ ચોવીશે તીર્થંકરો પાસે “તમે પ્રસાદપર થાવ એવી પ્રાર્થના કર્યા પછી સિદ્ધ ભગવંતો પાસે વિશેષ પ્રકારની પ્રાર્થના કરે છે; કેમ કે આત્માને સિદ્ધ અવસ્થા જ અત્યંત ઇષ્ટ છે અને તેની પ્રાપ્તિ સ્વપરાક્રમથી જ થાય છે અને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિને અનુરૂપ સ્વપરાક્રમ સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિથી પ્રગટે છે, તેથી સુસાધુઓ અને સુશ્રાવકો હંમેશાં સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિની વૃદ્ધિ માટે સ્વનામથી કીર્તન કરે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy