SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ લોગસ સૂત્ર ચોંટેલી રજ મલ કહેવાય, તેમ બંધાતું કર્મ રજ કહેવાય અને પૂર્વનું બંધાયેલું કર્મ મલ કહેવાય અને ચોવીશે તીર્થકરોએ ઘાતકર્મનો ક્ષય કરેલો હોવાથી નવાં કર્મો બાંધતા નથી અને યોગકૃત જે એક સમયનું કર્મ બંધાય છે તે અકિંચિત્કર હોવાથી કર્મબંધ નથી તેમ કહેવાય છે, તેથી ભગવાન બધ્યમાન કર્મવાળા નહિ હોવાથી અને ઘાતિકર્મરૂપ પૂર્વે બંધાયેલો મળ દૂર થયેલો હોવાથી દૂર કરાયેલા રજમલવાળા છે અથવા પૂર્વમાં બંધાયેલું કર્મ આત્મા ઉપર રજ જેવું છે, જેમ શરીર ઉપર રજ ચોંટેલી હોય ત્યારે કહેવાય છે કે મારું શરીર રજવાળું છે તેમ પૂર્વનાં બંધાયેલાં ઘાતિક આત્મા ઉપર ચોંટેલાં હોવાથી રજ છે માટે બંધાયેલાં ઘાતિકર્મો રજ છે અને નિકાચિત થયેલું કર્મ મલ છે, જેમ વસ્ત્રમાં તૈલી પદાર્થથી અત્યંત ચોંટેલો મલ કહેવાય છે. વળી, છબસ્થ જીવોમાં બંધાયેલું ઘાતિકર્મ પણ વિદ્યમાન છે અને નિકાચિત અવસ્થાને પામેલાં કેટલાંક કર્મો પણ વિદ્યમાન છે, ફક્ત ક્ષપકશ્રેણિમાં બાધક નિકાચિત કર્મ ઉદયમાં ન આવ્યાં હોય અને ક્ષપકશ્રેણિનું વીર્ય ઉલ્લસિત થાય તે મહાત્મા રજતુલ્ય બંધાયેલાં ઘાતિકર્મ અને મલતુલ્ય નિકાચિત કર્મોનો નાશ કરે છે, તેમ ચોવીશે તીર્થકરોએ રજતુલ્ય બદ્ધ ઘાતકર્મ અને મલતુલ્ય નિકાચિત ઘાતિકર્મો દૂર કર્યા છે માટે દૂર કરાયેલા રજમલવાળા છે અથવા ઇર્યાપથ કર્મ રજ છે અને સાંપરાયિક કર્મ મલ છે અને જે મહાત્મા અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરે છે તેઓ ઉત્કૃષ્ટથી પણ આઠ વર્ષ પ્રમાણ ઘાતકર્મની સ્થિતિ બાંધે છે, તેથી તે સ્થિતિ અત્યંત અલ્પ હોવાથી ઇર્યાપથ કર્મ કહેવાય માટે રજ છે અને જેઓના ચિત્તમાં બાહ્ય પદાર્થોનો સંશ્લેષ વર્તે છે તેઓ પોતાના સંશ્લેષને અનુરૂપ મલિન કર્મો બાંધે છે, તેથી સાંપરાયિક કર્મ મલ છે. વળી, ચોવીશે તીર્થકરો જેવું છમ અવસ્થામાં ઇર્યાપથ કર્મરૂપ રજ બાંધતા હતા અને ગૃહસ્થ અવસ્થામાં સાંપરાયિક કર્મરૂપ મલ બાંધતા હતા તેવું ઇર્યાપથ રજ કે સાંપરાયિક મલ કેવલજ્ઞાન પછી બાંધતા નથી, તેથી દૂર થયેલા રજમલવાળા છે અને તે સ્વરૂપે ચોવીશે તીર્થકરોનું સ્મરણ કરવાથી તેવા સ્વરૂપવાળા ભગવાન મારા પ્રત્યે પ્રસાદવાળા થાવ તેમ અધ્યવસાય કરવાથી રજમલ વગરની અવસ્થા પ્રત્યે સદ્વર્ય ઉલ્લસિત થાય છે, તેથી શીધ્ર સંસારનો ક્ષય થાય છે. વળી, સ્તુતિ કરનાર પોતે ઘાતકર્મવાળા છે, તેથી જો વિતરાગ ન થવાય તો ફરી નવા ભવની પ્રાપ્તિ અને તેના કારણે જરા-મરણનો પ્રવાહ પોતાને પ્રાપ્ત થશે જે અત્યંત અનિષ્ટ છે અને તેવાં અનિષ્ટકારી જરા-મરણ ભગવાને ક્ષીણ કર્યા છે; કેમ કે વર્તમાન ભવ પછી નવા ભવના બંધના કારણનો ભગવાનમાં અભાવ છે, તેથી નવા જન્મની પ્રાપ્તિ દ્વારા જરા-મરણનો પ્રવાહ ભગવાનને નથી તે સ્વરૂપે ભગવાનને ઉપસ્થિત કરવાથી જરા-મરણના પ્રવાહના કારણભૂત સંગભાવ પ્રત્યે ચિત્ત વિરક્ત બને છે અને ઇચ્છે છે કે ક્ષીણ થયેલા જરા-મરણવાળા ચોવીશે ભગવાનો મારા પ્રત્યે તે પ્રકારે પ્રસાદપર થાવ જે પ્રકારે હું પણ તેમની જેમ ક્ષીણ જરા-મરણવાળો થાઉં. લલિતવિસ્તરા - સાદ, વિનેષ પ્રાર્થના, ગઇ ? તિ, યહિ પ્રાર્થના સુપા, ગાંસાત્વિ, કથન, उपन्यासोऽस्या अप्रयोजन इतरो वा? अप्रयोजनश्चेदचारुवन्दनसूत्रं, निरर्थकोपन्यासयुक्तत्वात्, अथ
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy