SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસસ સૂત્ર લલિતવિસ્તરાર્થ: અહીં પ્રથમ ગાથામાં કહેવાયેલાં વિશેષણોમાં, શંકા કરે છે - લોકના ઉધોતકર એટલાથી જ સાધુ છે એટલું જ વિશેષણ ઉચિત છે, ધર્મ તીર્થકરોને એ પ્રમાણે કહેવું જોઈએ નહિ; કેમ કે ગતાર્થપણું છેઃલોકઉધોતકર એ વિશેષણથી જ ધર્મ તીર્થકર એ વિશેષણના અર્થની પ્રાપ્તિ છે, તે આ પ્રમાણે – જેઓ લોકના ઉધોતને કરનારા છે તે ધર્મ તીર્થકર જ છે અર્થાત્ અન્ય કોઈ નથી, પરંતુ ધર્મ તીર્થકર જ છે, આ શંકામાં ઉત્તર આપે છે – અહીં પ્રસ્તુત ગાથામાં, લોકના એક દેશમાં પણ ગામના એક દેશમાં ગામની જેમ લોક શબ્દની પ્રવૃત્તિ હોવાથી ઉધોતકર એવા અવધિ-વિભંગ જ્ઞાનીઓમાં અથવા સૂર્ય-ચંદ્રાદિમાં સંપ્રત્યય ન થાવ લોક શબ્દથી તેનું ગ્રહણ ન થાવ, આથી તેના વ્યવચ્છેદ માટે ધર્મ તીર્થકર એ પ્રમાણે વિશેષણ આપેલ છે. સાહથી શંકા કરે છે – જો આ પ્રમાણે છેઃલોકના એક દેશના ગ્રહણના વ્યવચ્છેદ માટે ધર્મ તીર્થકર એ પ્રમાણે વિશેષણ આપ્યું છે એ પ્રમાણે છે, તો ધર્મ તીર્થંકર એટલું જ હો, લોકઉધોતકર એ વિશેષણ કહેવું જોઈએ નહિ, આમાં=આ પ્રકારની શંકામાં, ઉત્તર આપે છે – અહીં લોકમાં જે કોઈ નદી આદિ વિષમ સ્થાનોમાં મુગ્ધપણાથી ધર્મ માટે અવતરણરૂપ તીર્થના કરણ સ્વભાવવાળા છે તેઓ પણ ધર્મતીર્થ કરનારા જ કહેવાય છે, તે કારણથી અતિમુગ્ધ બુદ્ધિવાળા જીવોને તેઓમાં=નદી આદિ વિષમ સ્થાનોમાં, ધર્માર્થે અવતરણ કરવા માટે પગથિયાં આદિ કરવાના સ્વભાવવાળામાં સંપ્રત્યય ન થાવ=તેઓની હું સ્તુતિ કરીશ એ પ્રકારે ઉપસ્થિતિ ન થાવ, આથી તેના અપનયન માટે લોકના ઉધોતકર એ પ્રકારે પણ કહે છે. વળી, બીજા કહે છે – જિનાનું એ વિશેષણ અધિક છે=નિરર્થક છે, તે આ પ્રમાણે – ચોક્ત પ્રકારવાળા=લોકના ઉધોત કરનારા અને ધર્મતીર્થને કરનારા એવા સ્વરૂપવાળા, જિન જ હોય છે, અહીં જિન વિશેષણ નિરર્થક છે એ પ્રકારની શંકામાં, ઉત્તર આપે છે – કુનયમતઅનુસાર પરિકલ્પિત એવા યથોક્ત પ્રકારવાળામાં=લોકનો ઉધોત કરનારા અને ધર્મતીર્થને કરનારા એવા પ્રકારવાળામાં, સંપ્રત્યય ન થાવ=હું તેમની સ્તુતિ કરું છું એ પ્રકારની ઉપસ્થિતિ ન થાવ, આથી તેના અપોહ માટે કુનયવાળાને અભિમત એવા લોકઉધોતકર અને ધર્મ તીર્થંકરના અપોહ માટે, જિનાનું એ પ્રમાણે વિશેષણ કહે છે અને કુનયના દર્શનમાં સંભળાય છે – જ્ઞાની ધર્મતીર્થના કર્તા પરમ પદમાં જઈને ફરી પણ તીર્થના વિનાશથી ભવમાં આવે છે તીર્થનો વિનાશ થતો જોઈને તેના રક્ષણ માટે ભવમાં આવે છે. ઈત્યાદિથી અન્ય ઉદ્ધરણનો સંગ્રહ છે, તે કારણથી તેઓ ખરેખર રાગાદિને જિતનારા નથી અન્યથા અર્થાત્ રાગાદિ ન હોય તો, કયા કારણથી નિકારથી=તીર્થના નાશથી, ફરી અહીં ભવના અંકુરાનો પ્રભવ થાય? અર્થાત્ થાય નહિ; કેમ કે બીજનો અભાવ છે અને તે પ્રમાણે=મોક્ષમાં ગયેલા જીવોને ભવનો અંકુરો નથી તે પ્રમાણે,
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy