SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ બુદ્ધાણં બોહયાણ પંજિકાર્ય : વિશ્વ સાળાવનામાવિનો સાર્થકતનિશિક્તિ . વળી, સાધ્યની સાથે અવિનાભાવી એવા નિશ્ચિત લિંગથી સાધ્ય નિશ્ચાયક અનુમાન થાય છે=પર્વતો વહિન વન વિના ધૂમાનુષ એ પ્રકારના અનુમાનમાં વહ્નિ રૂપ સાધ્યની સાથે અવિનાભાવી એવા પ્રત્યક્ષથી નિશ્ચિત બૂમરૂપ લિંગથી વર્તિમાન પર્વત છે એ પ્રકારનું સાધ્ય નિશ્ચાયક અનુમાન થાય છે, અને અહીં મીમાંસક પદાર્થનું પ્રત્યક્ષ થયા પછી અનુમાન દ્વારા તે પદાર્થના જ્ઞાનનો નિર્ણય કરે છે એમાં, તેવા પ્રકારનું લિંગ નથી અને તે પ્રકારે કહે છે=મીમાંસકતા અનુમાનમાં તેવા પ્રકારનું લિંગ નથી એ પ્રકારે લલિતવિસ્તરામાં કહે છે – અર્થપ્રત્યક્ષતા લિંગ નથી જ=લિંગાંતરનો અસંભવ હોવાને કારણે અર્થાત્ પ્રત્યક્ષતાથી અન્ય કોઈ લિંગ દ્વારા પૂર્વના જ્ઞાનનું અનુમાન કરવા માટે લિંગાંતર નહિ હોવાને કારણે, અપર વડે લિંગપણાથી કલ્પિત વસ્થમાણરૂપ અર્થપ્રત્યક્ષતા બુદ્ધિગ્રાહક અનુમાનનો હેતુ નથી જ=મીમાંસક વડે વસ્થમાણરૂપ અર્થપ્રત્યક્ષતા લિંગાણારૂપે કલ્પિત છે અર્થાત્ ઘટ પ્રત્યક્ષ છે તેમાં રહેલી અર્થપ્રત્યક્ષતા ઘટતું મને જ્ઞાન છે, તેના લિંગાણારૂપે કલ્પિત છે પરંતુ ઘટના જ્ઞાનરૂપ બુદ્ધિના ગ્રાહક એવા અનુમાનનું લિંગ એ અર્થપ્રત્યક્ષતા નથી; એમ ગ્રંથકારશ્રી કહે છે, કેમ ? એથી કહે છેઃઅર્થપ્રત્યક્ષતા લિંગ કેમ નથી ? એથી કહે છે – જે કારણથી પ્રત્યક્ષ પરિચ્છેદ્ય અર્થ જ અર્થ-પ્રત્યક્ષતા લિંગ તમને અભિમત છે, પરંતુ તેનો પરિચ્છેદ પણ નહિ–અર્થનું જ્ઞાન પણ નહિ, એને જ=પ્રત્યક્ષથી પરિચ્છેદ્ય અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે માટે અર્થપ્રત્યક્ષતા લિંગ નથી એમ પૂર્વમાં કહ્યું એને જ સ્પષ્ટ કરે છે – પ્રત્યક્ષની કર્મરૂપતાને પામેલો અર્થ જ છે=પ્રત્યક્ષ એવા ઈન્દ્રિય જ્ઞાનની વિષયતાને પામેલો અર્થ જ છે, પરંતુ તેનાથી વ્યતિરિક્ત કંઈ નથી, જો આ પ્રમાણે છેઃપ્રત્યક્ષની કર્મરૂપતાને પામેલો અર્થ છે એ પ્રમાણે છે, તેનાથી શું?=તેનાથી શું સિદ્ધ થાય ? એથી કહે છે – આની=અર્થતી, આ વિશિષ્ટ અવસ્થા=પ્રત્યક્ષજ્ઞાનના વિષયભાવપરિણતિ રૂપ પ્રત્યક્ષતારૂપ વિશિષ્ટ અવસ્થા, વિશેષણની અપ્રતીતિ હોતે છતે=પ્રત્યક્ષજ્ઞાનરૂપ વિશેષણનું અસંવેદન હોતે છતે, પ્રતીતિ થતી નથી–નિશ્ચય થતો નથી, એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ, શિ=જે કારણથી, પ્રદીપાદિતા પ્રકાશની અપ્રતીતિ હોતે છતે તેનાથી પ્રકાશિત ઘટાદિની પ્રતીતિ ઉપલબ્ધ થતી નથી અને અન્વય-વ્યતિરેક દ્વારા અનિશ્ચિત એવા હેતુથી સાધ્યની પ્રતીતિ નથી. ભાવાર્થ : પર્વત અગ્નિવાળો છે; કેમ કે ધૂમ વિના અગ્નિની અનુપપત્તિ છે એ પ્રકારે સાધ્યનું નિશ્ચાયક અનુમાન થાય છે, તે સ્થાનમાં વહ્નિરૂપ સાધ્યની સાથે અવિનાભાવિ એવા નિશ્ચિત લિંગથી અનુમાન થાય છે, પરંતુ મીમાંસકો માને છે કે અર્થનું પ્રત્યક્ષજ્ઞાન થાય છે, તેનાથી પરોક્ષ એવા જ્ઞાનનું અનુમાન થાય છે, તે સ્થાનમાં સાધ્યની સાથે અવિનાભાવિ એવું લિંગ નથી, એ બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – અર્થપ્રત્યક્ષતા લિંગ નથી=અર્થમાં રહેલી પ્રત્યક્ષતા પોતાને થયેલા જ્ઞાનના અનુમાન માટે લિંગ નથી. કેમ
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy