SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ લલિતવિસ્તરા ભાગ-૧ કરીને તુલ્ય ગુણવાળા છે, તેથી ભૂતકાળના કોઈક તીર્થંકરથી બધા ભવ્યજીવોને અત્યાર સુધીમાં બીજાધાનની પ્રાપ્તિ, બીજના ઉભેદની પ્રાપ્તિ અને બીજના પોષણની પ્રાપ્તિ થઈ ગઈ હોત તો ત્યારપછી પુદ્ગલપરાવર્ત જેટલા અલ્પકાળમાં બધા જીવોને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ હોત, તેથી જગતમાં બધા ભવ્યજીવોનો ઉચ્છેદ પ્રાપ્ત થાય અને વર્તમાનમાં ભવ્યજીવો ઉપલબ્ધ છે, બીજાધાનાદિ પ્રાપ્ત કરી રહ્યા છે તે સર્વ પ્રત્યક્ષ છે, તેથી ફલિત થાય છે કે અચિંત્ય શક્તિવાળા પણ ભગવાન સર્વ ભવ્યજીવોને ઉપકાર કરવા માટે સમર્થ નથી, પરંતુ બીજાધાનાદિથી સંવિભક્ત એવા જે ભવ્યજીવો તેમનો ભાવથી આશ્રય કરે છે તેઓના જ ભગવાન નાથ છે, અન્યના નથી. પંજિકા - नन्वनादावपि काले बीजाधानादिसम्भवात् कथमल्पेनैव कालेन सर्वभव्यमुक्तिप्रसङ्ग इत्याशङ्क्याह - પંજિકાર્ય : નન્દનાલાવડ » ડુત્રાશયાદ અનાદિ પણ કાલમાં=ભૂતકાળમાં અનાદિ પણ કાલમાં, બીજાધાનાદિનો સંભવ હોવાથી કેવી રીતે અલ્પ જ કાલથી=ભગવાનથી સર્વ ભવ્યજીવોને બીજાધાનાદિ થાય છે તેમ સ્વીકારવામાં આવે તો અલ્પ જ કાલથી, કેવી રીતે સર્વ ભવ્યને મુક્તિનો પ્રસંગ થાય? એ પ્રકારની આશંકા કરીને કહે છે – લલિતવિસ્તરા : बीजाधानमपि ह्यपुनर्बन्धकस्य, न चास्यापि पुद्गलपरावर्त्तः संसार इति कृत्वा, तदेवं નવનાથા તારા લલિતવિસ્તરાર્થ : દિ જે કારણથી, બીજાધાન પણ અપુનબંધકને થાય છે અને આનો પણ અપુનબંધકનો પણ, પુગલપરાવર્ત સંસાર છે, જેથી કરીને નથી જ એક પગલપરાવર્તથી અધિક સંસારવાળા બીજાપાનવાળા કોઈ જીવો નથી જ, તેથી જો સર્વ ભવ્યજીવોને ભગવાનથી બીજાધાનાદિ થતા હોય તો અલ્પકાળમાં જ બધાની મુક્તિ થાય એમ સંબંધ છે, પ્રસ્તુત સૂત્રના કથનનું નિગમન કરતાં તવ થી કહે છે - આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ભગવાન લોકના નાથ છે. II૧૧|| પંજિકા - बीजाधानमपि धर्मप्रशंसादिकमपि, आस्तां सम्यक्त्वादीति अपि'शब्दार्थः हिः यस्माद्, अपुनर्बन्धकस्य= 'पापं न तीव्रभावात् करोती'त्यादिलक्षणस्य न च-नैव, अस्यापि अपुनर्बन्धकस्यापि, आस्तां सम्यग्दृष्ट्यादेः, पुद्गलपरावर्त्तः समयसिद्धः, 'संसार' इति संसारकालः, इति कृत्वा-इति हेतोः, अल्पेनैव कालेन सर्वभव्यमुक्तिः વિતિ યોદરા
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy