________________
પ્રકાશકીય નિવેદન
જૈનદર્શનના મૂળાધાર અનેકાંતવાદને બેધ આપતે “અનેકાંતવ્યવસ્થા પ્રકરણ (અપનામ “જેતપરિભાષા”) નામને આ ગ્રંથ છે. તેના રચયિતા પૂજ્યપાદ જૈન ન્યાયના પ્રાણદાતા ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી, મહારાજ છે. તેમના જીવન અને કવન વિષે કેટલાયે વિદ્વાનેએ ખૂબ પ્રકાશ પાડ્યો છે, તેથી એ સંબંધે વધુ લખવાની અહીં જરૂરત નથી. છતાં તેમના પ્રખર પાંડિત્ય વિષે એટલું કહેવું જરૂરી છે કે, તેમણે કાશીના સમર્થ બ્રાહ્મણ પંડિત સાથેના શાસ્ત્રાર્થમાં જીત મેળવી હતી, જેથી એ જ પંડિતમંડલીએ “ન્યાયવિશારદની પદવીથી તેમને વિભૂષિત કર્યા હતા અને ન્યાયશાસ્ત્રના એકસો ગ્રંથ બનાવ્યા બાદ “ન્યાયાચાર્યને બિરુદથી તેમને નવાજ્યા હતા. તેમની કસાયેલી વિદગ્ય કલમથી લખાયેલે આ ગ્રંથ આધુનિક પ્રજાને ટકા વિના સર્ગોપાંગ સમજ મુશ્કેલ હતું, તેથી સ્વ. પૂજ્યપાદ શાસનસમ્રાટું સર્વતન્ત્રસ્વતંત્ર સૂરિચકવતી આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયસિરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, કવિરત્ન પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીએ વિદ્વત્સમાજ તેમજ તત્ત્વજિજ્ઞાસુ તવરસિક જીને તત્વને બંધ