SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १६१ માનનાર ખાદ્ધ પક્ષ છે. આ બન્ને પક્ષે કઈરીતે વ્યાજબી નથી ને તેની શી માન્યતા છે તે, અને શક્તિ સકેતનું વિસ્તૃત સ્વરૂપ શું છે તે, બનેને વિશેષ જીજ્ઞાસુઓએ રત્નાકરથી જોઈ લેવું. . શબ્દની અર્થ પ્રકાશકતા .. अर्थप्रकाशकत्वमस्य स्वाभाविकं प्रदीपवद्यथार्थायथार्थत्वे पुनः पुरुषगुणदोषावनुसरतः ॥ १२ ।। અર્થ–દીવાની પેઠે અર્થનો બોધ કરાવવા તે શબ્દને સ્વભાવિક છે. પરંતુ તે જ્ઞાનનું યથાર્થપણું કે મિથ્યાપણું તે તે પુરુષના ગુણ દોષને અનુસરે છે. વિશેષાર્થ–પ્રકાશિત દવે નજીક રહેલી શુભ અથવા અશુભ વસ્તુઓને પ્રકાશિત કરે છે. પરંતુ કમળાને રાગવાળ કે નિસ્તેજ ચક્ષુવાળો તે ન જોઈ શકે તેમાં દીવાને દેષ ન ગણાય પરંતુ તે તે વ્યક્તિને જ દેષ ગણાય. કારણકે દીવાનું તો સ્વાભાવિક સામગ્ગજ છે કે પાસે રહેલી છે તે વસ્તુઓને પ્રકાશિત કરવી. તેજ પ્રમાણે અહિં પણ વકતાથી બોલાતો શબ્દ શ્રવણેન્દ્રિયદ્વારા શ્રવણગોચર થઈને સ્વાભાવિક રીતે સત્ય, અસત્ય, સારી, નરસી, સિદ્ધ કેસાધ્ય કરવાની વસ્તુવિષયક જ્ઞાન ઉત્પન્ન કરે છે. કારણકે આ પ્રમાણે તે તે પદાર્થનો બાધ કરાવવો તે શબ્દનુ સ્વાભાવિક સામર્થ્ય છે. પરંતુ દીવા કરતાં આમાં એટલી વિશેષતા એ છે કે સંકેતને સામર્થ્ય બનેવડે શબ્દ અર્થને બોધ કરાવવામાં સમર્થ નીવડે છે. આપણે વસ્તુ કે વસ્તુને વિભાગ જે પ્રમાણે હેય તે પ્રમાણે તે વસ્તુને કે વસ્તુના વિભાગને વિચાર કરીએ અને
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy