SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ત્રણ અનુમાનનું સ્વરૂપ-જ્યાં આગળ કારણદ્વારા કાર્યનું અનુમાન કરવામાં આવે તેને પૂર્વવત કહે છે. જ્યાં કાર્ય દ્વારા કારણનું અનુમાન કરવામાં આવે તેને શેષવત કહે છે. ને કાર્યકારણ છેડીને બીજા સાધનો દ્વારા સાધ્યની સિદ્ધિ થાય તેને સામાન્યષ્ટ કહે છે. ત્રણના ઉદાહરણ–આ મેઘ વરસાદને ઉત્પન્ન કરશે કારણકે તેવા પ્રકારને ગંભીરગરવ, વીજળીનું વારંવાર થવું, મેઘની ઉન્નત દશા વિગેરે વરસાદનાં ચિહે માલુમ પડે છે. આને પૂર્વવત અનુમાન કહે છે. ને તે અવિરુદ્ધ કારણે પલબ્ધિ નામના હેતુથી જેનો જે અનુમાન સ્વીકારે છે તેવા પ્રકારનું આ અનુમાન છે. (સરખાવો આજ પ્રકરણનું સૂત્ર ૭૯. ભવિષ્યતિ વર્ષ તથવિધવાવિવાવટોનરતિ પાચ ૭૨ ) અહિં “વરસાદ વરસ્યો હોવો જોઈએ. કારણકે નદીમાં પુર આવવું વિગેરે નજરે પડે છે. આ અનુમાનને શેષવત અનુમાન કહે છે. અને આવા પ્રકારનું અનુમાન તે જૈનના અવિરુદ્ધ કાર્યોપલબ્ધિ નામના હેતુથી થાય છે તેમાં સમાઈ શકે છે નદીમાં પુર આવવું વિગેરે કાર્ય હેતુ છે અને કારણરૂપ વરસાદનું આવવું તે સાધ્ય છે. ( સરખાવો સૂત્ર ૭૮. અન્ન જિનિ ધનલયો ધૂમસમુપત્રમાણિતિનાર્થી || ૭૮ ) આ આંબા ફળેલા છે કારણકે તેમાં આંબાપણું છે અને નૈયાયિકે સામાન્યતોદષ્ટ અનુમાન કહે છે. આ અનુમાન જેને એ પડેલા વિધિસાધક બીજા અનુમાનેમાં સમાઈ જાય છે. - બીજી રીતે તૈયાયિકેની ત્રણ અનુમાનની માન્યતા–નૈયાયિકે કેવળાન્વયીને પૂર્વવત, કેવળવ્યતિરેકીને શેષવત અને અન્ય વ્યતિરેકીને સામાન્ય દષ્ટ કહે છે. પરંતુ આ ત્રણે ભેદ જેનોના માનેલા શુદ્ધ હેતુના લક્ષણમાં સમાઈ જાય છે અને એ જે હેતુના પટાભેદ પાડયા છે તેને સાધ્યની સાથે જુદી જુદી રીતે અપેક્ષાપૂર્વક સંબંધિત હેતુને
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy