SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ८१ વિશેષ –ઈપણ પદાર્થ ઉત્પન્ન થાય તે પહેલાંને જે પદાર્થ હોય તે ઉત્પન્ન થનાર પદાર્થને પ્રાગભાવ છે અને તે નિવૃત્ત થાય તેમજ કાર્ય ઉત્પન્ન થાય છે. પ્રસ્તુત ઉદાહરણમાં ઘટન પહેલાં માટીને પિંડ છે. તેની નિવૃત્તિ થયા પછી ઘડી ઉત્પન્ન થાય છે. તે જે માટીનો પિંડ તે ઉત્પન્ન થતા ઘડાને પ્રાગભાવ છે. એટલે કાર્યની ઉત્પત્તિ પહેલાં પ્રથમ પદાર્થને નાશ જ જોઈએ. અને જે કાર્યની ઉત્પત્તિ પહેલાં તે પદાર્થની નિવૃત્તિને નિશ્ચયપૂર્વક ન માનીએ તે અતિવ્યાપ્તિ થશે. એટલે તે લક્ષણ અગ્યમાં પણ ઘટી જશે. જેમકે, કેટલીકવાર અંધકારનો અભાવ થાય ત્યારે વસ્તુને બોધ થાય છે ત્યાં આગળ અંધકાર એ જ્ઞાનને પ્રાગભાવ માનવો જોઈએ, પરંતુ અંધકાર રૂપજ્ઞાનને પ્રાગભાવ ઘટી શકતું નથી. કારણ કે ઘુવડ તેમજ રાત્રિએ જેનારા પુરુષોને (રાક્ષસને) અંધકાર હોવા છતાં પણ રૂપજ્ઞાન થાય છે. આ રીતે અંધકારનો અભાવ થતાં પણ રૂપજ્ઞાન થાય છે અને અંધકારનો અભાવ ન હોય તે પણ રૂપજ્ઞાન છે. એટલે અંધકાર એ રૂપજ્ઞાન પ્રત્યે વૈકલ્પિક પ્રાગભાવ થશે. સૂત્રમાં gવ શબ્દ મુકવાથી આવા જે વૈકલ્પિક હોય તે પ્રાગભાવ તરીકે બની શકશે નહિં. આ પ્રાગભાવ એક વ્યક્તિને અને પર્યાયને અનુસરીને સાદિ સાન્ત છે અને દ્રવ્યને અનુસરીને અનાદિ અનન્ત છે. પ્રäસાભાવનું સ્વરૂપ– यदुत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः सोऽस्य प्रध्वंसाभावः ॥६१॥ અર્થ-જે પદાર્થની ઉત્પત્તિ થતાં કાર્યની અવશ્ય સ્વરૂપ
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy