SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणनयतत्वालोकालङ्कारः ઓછા અવયવોથી પરાથનુમાન ન થાય તેવો આગ્રહ રાખે છે. તેને માટે જ તેઓ જણાવે છે કે વ્યુત્પન્ન પુરુષને જ્ઞાન કરાવવામાં પક્ષ અને હેતુ બસ છે. કાપિલ, ભાટ્ટને પ્રાભાકર–પક્ષ, હેતુ ને દષ્ટાન્ત એ ત્રણજ અનુમાનના અવયવભૂત છે. તેથી ઓછા અવયવભૂત અનુમાન ન હોઈ શકે એમ માને છે. તેને જેને પૂછે છે કે દષ્ટાન્ત તમે પર પુરુષને બંધ થાય તે માટે સ્વીકારે છો? કે સાધ્ય નહાય તે હેતુનું ન હોવું તેરૂપ અન્યથાનુપપત્તિના નિર્ણય માટે સ્વીકારે છે? અથવા વ્યાપ્તિના સ્મરણ માટે સ્વીકારે છે? હવે તેઓના પ્રથમ વિકલ્પના સત્યાસત્ય ઉપર યુક્તિયુક્ત વિચાર કેમ હોઈ શકે તે જણાવે છે. હવે દષ્ટાન્તવચનની આવશ્યકતા न दृष्टान्तवचनं परमतिपत्तये प्रभवति तस्यां पक्षहेतु वचनयोरेव व्यापारोपलब्धेः ॥३३॥ અર્થ –દાન્ત કથન કાંઈ અન્યને નિશ્ચય કરાવવાને સમર્થ થઈ શકતું નથી કારણકે નિશ્ચય કરાવવામાં તે પક્ષ અને હેતુ કથનને જ વ્યાપાર નજરે ચડે છે. વિશેષાર્થ –આરીતે પરને બંધ કરવામાં દષ્ટાન્ત સમર્થ નથી પરંતુ પક્ષને હેતુ કથન જ છે. સાધ્યની સાથે નિર્ણતઅવિનાભાવવાળે હેતુજ પરપુરુષને સાધનો બેધ કરાવવામાં સમર્થ છે. અને જેને આવા શુદ્ધ હેતુને સબંધ યાદ છે તેને દષ્ટાન્ત વિગેરેની જરૂર નથી. અર્થાત્ કે જે પુરુષને નિર્ણત અવિનાભાવ યાદ છે તેને
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy