SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ [અધ્યાત્મ અનુયોગ સહિત 0 અધ્યાત્મયોગથી જ આત્મપ્રતીતિ સંભવે છે આ રીતે અંતરંગ ઉદ્યમમાં લીન થવામાં આવે તો જ આત્મતત્ત્વની અપરોક્ષ પ્રતીતિ થઈ શકે. શુષ્ક તર્કશાસ્ત્રોના અભ્યાસથી આત્મતત્ત્વની પ્રતીતિ ન થાય. છ મહિના સુધી વાદ-વિવાદ કરવાથી સાકરના મધુર સ્વાદની અનુભૂતિ ન થાય. તેને મોઢામાં મૂકવાથી જ મીઠાશની પ્રતીતિ થાય. વાદ = તર્કશાસ્ત્રાભ્યાસ. સાકર = આત્મા, મીઠાશ = અનંતાનંદમય ચૈતન્યસ્વભાવ. મુખપ્રક્ષેપ = દર્શિત અંતરંગઉદ્યમમય અધ્યાત્મ-યોગાભ્યાસ. તેથી વાદ-વિવાદ વગેરેની રુચિ છોડીને, તત્ત્વચર્ચાના બહાને પણ બીજાની નિંદા કરવાના વલણને છોડીને, “ક્યાં કોણ શું કરે છે ?' તેવી બહિર્મુખતાને તિલાંજલિ આપીને, બહુ બોલ-બોલ કરવાની કુટેવને વોસિરાવીને અધ્યાત્મયોગમાં લાગી જવા જેવું છે. આત્માર્થીએ પણ અન્ય બાહ્ય સાધના કરતાં વધુ ચઢિયાતો પ્રયત્ન તો પ્રસ્તુત અધ્યાત્મયોગમાં જ કરવો જોઈએ. તેથી જ યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “તત્ત્વપ્રતીતિનું કારણ અધ્યાત્મયોગ જ હોવાથી પ્રાજ્ઞ પુરુષે તે-તે આત્માદિ તત્ત્વની પ્રકૃષ્ટ સિદ્ધિ = અનુભૂતિ માટે અધ્યાત્મયોગમાં જ હંમેશા સૌથી રએ વધુ પ્રયત્ન કરવો જોઈએ. વાદગ્રંથો આત્માનુભૂતિનું કારણ નથી. આત્માદિ તત્ત્વની અપરોક્ષ પ્રતીતિ , વિશે અધ્યાત્મયોગ એ જ શ્રેષ્ઠ ઉપાય કહેવાયેલ છે. “હું દેહાદિભિન્ન આત્મા છું - આવી પ્રતીતિ ' માટે અધ્યાત્મ સિવાય બીજો કોઈ સાચો ઉપાય પૂર્વાચાર્યોએ જણાવેલ નથી. પરંતુ આ અધ્યાત્મ પણ ને ભવસાગરમાં ભટકતાં જીવોને અત્યંત દુર્લભ છે.” પ્રસ્તુત અધ્યાત્મ અતિ દુર્લભ કેમ છે? આ હકીકત તો ઉપરોક્ત પંદર પ્રકારનો અંતરંગ પુરુષાર્થ નિરંતર કરવા દ્વારા જ સાધકને સમજાય તેમ છે. આ ગ્રંથિભેદ ન થવાના કારણોની વિશેષ વિચારણા 1 પરંતુ પ્રબળ મિથ્યાત્વ, અવેદ્યસંવેદ્યપદ વગેરેના સામર્થ્યથી આ જીવે આજ સુધી પોતાના જ આ મૂળભૂત સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ કરીને એવો વિનિશ્ચય નથી કર્યો કે “શરીર, ઈન્દ્રિય, મન, કર્મ ધ વગેરેથી હું સાવ જ જુદો છું. હું દેહાદિભિન્ન આત્મા છું. મારું સ્વરૂપ પરમાનંદમય છે. સહજ, શાશ્વત, મેં શાન્ત, શીતળ, શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડસ્વરૂપ જ હું છું. હું સૂર્યની જેમ સ્વપ્રકાશાત્મક છું, સ્વતઃ પ્રકાશ્ય છું. ઈન્દ્રિયાદિની સહાય વિના સ્વયમેવ નિજ સ્વરૂપનો પ્રકાશક છું.” પોતાના આવા લોકોત્તર મહિમાવંત અપૂર્વ ચૈતન્યસ્વરૂપની પાકી શ્રદ્ધા પણ આ જીવે યથાર્થપણે ન કરી. આ રીતે જીવે પોતાના જ સહજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો સાચો નિશ્ચય કે તેની તાત્ત્વિક શ્રદ્ધા ન કરી. અજ્ઞાનાવરણ, વીર્યંતરાયાદિ કર્મનો ક્ષયોપશમ કરવા છતાં દર્શનમોહનો ક્ષયોપશમ પણ આ જીવે ન કર્યો. મતલબ કે ગ્રંથિભેદ કરીને આ જીવ સમ્યગ્દર્શન નથી મેળવી શકતો. તેના અનેક કારણો હોઈ શકે. * પ્રાથમિક કાળલધિનો પરિચય કૂફ (૧) જેમ કે જીવની પ્રાથમિક કાળલબ્ધિ ન હોવાના લીધે ગ્રંથિભેદજન્ય સમકિત ન મળે. કોઈ પણ ભવ્યાત્માનો વધારેમાં વધારે, કાંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ જેટલી સ્થિતિવાળો સંસાર બાકી હોય ત્યારે જ ગ્રંથિભેદકાલીન સમ્યક્તને પામવા માટે તે જીવ યોગ્ય બને છે. જીવની આ અવસ્થા પ્રથમ વાર સમકિત પામવા માટે જરૂરી હોવાથી “પ્રાથમિક કાળલબ્ધિ કહેવાય છે. પરંતુ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળથી અધિક કાળ સુધી જે જીવ ભવભ્રમણ કરવાનો હોય, તે જીવની
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy