SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૫/૧-૮)] ૪૬૧ ૐ મિથ્યાત્વોચ્છેદ માટે મરણિયા બનીએ દ્રવ્યદૃષ્ટિપરિણમનના પ્રતાપે આત્માર્થીને ખ્યાલ આવે છે કે “બહારમાં = બાહ્ય વિષયોમાં સુખની દૃષ્ટિ-રુચિ-શ્રદ્ધા-આસ્થા એ મિથ્યાત્વનું જ એક સ્વરૂપ છે. તે મિથ્યાત્વ મારા મૌલિક શુદ્ધચૈતન્યસ્વભાવને દબાવે છે. શાસ્ત્રાધારે, સત્સંગપ્રભાવે અને આંશિક સ્વપ્રતીતિના આધારે જણાય છે કે મારો મૂળ સ્વભાવ આકુળતા-વ્યાકુળતા વગરનો છે. નીરવ, નિઃસંગ, નિરાલંબન અને નિરુપાધિક છે. મારો મૂળસ્વભાવ શાંત-પ્રશાંત-ઉપશાંત છે. અનન્ત આનંદનો મહોદિધ મારામાં જ રહેલો છે. આનંદ મેળવવા માટે મારે એ બહારમાં ભટકવાની જરૂર નથી. બાહ્ય વસ્તુ-વ્યક્તિ પાસે સુખની ભીખ માગવાની મારે બિલકુલ ધ્યા આવશ્યકતા નથી. પરંતુ અનન્ત આનંદમય મારા શુદ્ધ ચૈતન્યસ્વભાવને ઘોર મિથ્યાત્વ દબાવી રહ્યું છે. ‘બહારમાં સુખ મળશે' - તેવી મિથ્યા શ્રદ્ધા મારી અંતર્મુખપરિણતિને હણે છે. બાહ્ય સાધનો દ્વારા ( સુખને મેળવવાની અને ભોગવવાની અતૃપ્ત મનોદશાથી વણાયેલું મિથ્યાત્વ મારી જ્ઞાનગર્ભિત વૈરાગ્યપરિણતિને ખતમ કરે છે. તેથી મિથ્યાત્વ એ જ મારો ઘોર શત્રુ છે. અનાદિ કાળથી ભવચક્રમાં મને પીલી-પીલીને, પીસી-પીસીને તેણે દુઃખી કર્યો છે. ભયંકર નુકસાન કરનારા આ મિથ્યાત્વને મારે મૂળમાંથી ઉખેડી જ નાંખવું છે. આ કાર્યમાં વિલંબ મને પાલવે તેમ નથી. મિથ્યાત્વના ઉચ્છેદ માટે મરણિયો થઈને મચી પડવું છે” – આવું પ્રણિધાન આત્માર્થી યોગીમાં ઉત્પન્ન કરીને તે દ્રવ્યદૃષ્ટિ તે યોગીમાંથી મિત્રાદિદૃષ્ટિવાળા સાધકમાંથી મિથ્યાત્વને મૂળથી ઉખેડીને ફેંકી દે છે. અ ....તો પુનર્જન્મપરંપરા અટકે – ગ્રંથિભેદ થયા પછી પણ તે દ્રવ્યદૃષ્ટિને આદરભાવે ઉત્સાહપૂર્વક અનુસરવામાં આવે તો જ દ્રવ્યલોકપ્રકાશમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ જણાવેલ છે કે ‘સિદ્ધ ભગવંતો રોગ, મૃત્યુ, ઘડપણ વગેરેની પીડા વગરના છે. કર્મબંધનના કારણો (મિથ્યાત્વાદિ) ન હોવાથી તેઓનો પુનર્જન્મ થતો નથી. બીજ બળી જાય તો અંકુરો ન ઉગે તેમ કર્મબીજ બળી જવાથી તેમને ફરીથી જન્માદિની પરંપરા ઊભી થતી નથી.' (૧૫/૧-૮) :- આ રીતે પ્રાસંગિક રીતે ગ્રંથકારશ્રીએ આઠ શ્લોક દ્વારા જ્ઞાનનો મહિમા જણાવેલ છે તથા પંદરમી શાખાની ભૂમિકાને તૈયાર કરેલ છે. યો છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy