SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ( [ અધ્યાત્મ અનુયોગ સહિત અસભૂતવ્યવહારના જી, ઇમ જ ભેદ છઈ દોઇ; પ્રથમ અસંશ્લેષિતયોગઈ રે, દેવદત્ત ધન જોઈ રે II૮/૬ll (૧૧૪) પ્રાણી. અસભૂત વ્યવહારના ઈમ જ બે ભેદ છઠ, એક ઉપચરિતાસભૂત વ્યવહાર. બીજો અનુપચરિતાસભૂત વ્યવહાર. પહેલો ભેદ અસંશ્લેષિતયોગઈ (જોઈ=) કલ્પિત સંબંધઈ હોયછે. જિમ “દેવદત્તનું ધન - ઈહાં ધન દેવદત્તનઈ સંબંધ સ્વ-સ્વામિભાવરૂપ કલ્પિત છઇ. તે માટઇં ઉપચાર. દેવદત્તા નઈં ધન એક દ્રવ્ય નહીં. તે માટઇ અસબૂત - એમ ભાવના કરવી. *ત્તિ ભાવાર્થ* ૮/૬ अभूतव्यवहारस्य द्वौ भेदावादिमो यथा। મિતું રેવદ્રત્તસ્ય' સ્થસંપિતયોતિ પાટીદા अभूतव्यवहार परामर्शः ' , ) અસભૂત વ્યવહારના પ્રથમ ભેદનું પ્રકાશન ). શ્લોકાર્થ :- અસભૂત વ્યવહારના બે ભેદ છે. પ્રથમ અસભૂત વ્યવહાર અસંશ્લેષિત યોગથી થાય છે. જેમ કે “દેવદત્તનું ધન' - આવો વ્યવહાર. (૮૬) લોકવ્યવહારમાં ગળાડૂબ ન બનીએ તે ટા આધ્યાત્મિક ઉપનય :- આ વ્યવહારનય ઔપચારિક છે, ઉપચારપ્રધાન છે. તેનાથી એવું જણાય " છે કે નિશ્ચયનયથી એક દ્રવ્યનું બીજા દ્રવ્ય ઉપર સ્વામિત્વ હોતું નથી. નિશ્ચયથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું (td કોઈ કાર્ય પણ કરતું નથી. આ તાત્ત્વિક બાબતને લક્ષમાં રાખીને ફક્ત લોકવ્યવહારના નિર્વાહ માટે મોજુનું ઘર', “પિન્ટનું ધન', ઈત્યાદિ બોલવામાં આવે તો મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવ ૨ કલંકિત ન બને. તેથી જ શ્રીસીમંધરસ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે : નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરી જી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રનો પાર.” (પાંચમી ઢાળ, ચોથી ગાથા) છે ઉપરોક્ત તાત્ત્વિક હકીકતને ભૂલીને તથાવિધ લોકવ્યવહારમાં ગળાડૂબ બનેલો રાંક જીવ આત્મભાન ભૂલીને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે. આ વાત આત્માર્થી સાધકે કદાપિ ભૂલવી ન જોઈએ. આ રીતે જ આપણું શિવસ્વરૂપ = સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. શિવસ્વરૂપને જણાવતાં માલધારી શ્રી રાજશેખરસૂરિજીએ પદર્શનસમુચ્ચયમાં જણાવેલ છે કે “કર્મોનો ઉચ્છેદ થવાથી જીવ પોતાના સ્વરૂપમાં રહે તે જ શિવ = સિદ્ધિ = મુક્તિ છે.” (૮/૬) ૩ મો.(૧)માં “હોઈ નથી. પુસ્તકોમાં ‘જી' પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. $ ‘ભેદ' પદ પુસ્તકોમાં નથી. કો.(૧૩) + આ.(૧)માં છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy