SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ सह परामर्शः ૧૫૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત સંગ્રહઈ નય સંગ્રહો, તે દ્વિવિધ - ઓઘ વિસેસ રે; દ્રવ્ય “સર્વ અવિરોધિયાં” જિમ, તથા “જીવ અસેસ રે” II૬/૧૧ (૮૪) બહુ. છે. જે સંગ્રહઈ,તે સંગ્રહનય કહિયઇ. તેમના બે ભેદ ( દ્વિવિધ) ઓઘ-વિશેષથી. ઓઘ કહિઈ સામાન્ય. એતલઈ એક સામાન્ય સંગ્રહ, એક વિશેષ સંગ્રહ - એવં ૨ ભેદ જાણવા. (જિમ) “વ્યા સર્વાળ વિરોધીનિ” એ પ્રથમ ભેદનું ઉદાહરણ. તથા “નીવા: સર્વેડવિરોધિના” એ દ્વિતીય ભેદનું ઉદાહરણ. *બહુશ્રુત ઇમ વિચારીનઈ તુમહે જોયો.* I૬/૧૧૫ स , सगृह्णन् सङ्ग्रहः प्रोक्त ओघ-विशेषतो द्विधा। द्रव्याणि ह्यविरोधीनि यथा जीवास्तथा समा:।।६/११ ।। જ સંગ્રહનયની સમજણ - શ્લોકાર્થ :- બધી વસ્તુનો સંગ્રહ કરનાર સંગ્રહનય બે પ્રકારનો કહેવાય છે. (૧) સામાન્યરૂપે અને (૨) વિશેષરૂપે. જેમ કે (૧) દ્રવ્યો પરસ્પર અવિરોધી છે.” તથા (૨) “જીવો પરસ્પર સમાન (= અવિરોધી) છે.” (૬/૧૧) • સંગ્રહનય સમત્વભાવને પ્રગટાવે છે. દેટી આધ્યાત્મિક ઉપનય :- સર્વ દ્રવ્યોમાં અને સર્વ જીવોમાં અવિરોધનું, એકરૂપતાનું ભાન કરાવનાર સંગ્રહનય ભેદભાવના સંકુચિત સીમાડામાંથી આપણને બહાર કાઢી, “વસુધૈવ કુટુમ્બકમ્' આવી અમૃત K.03 ભાવનાનું રસપાન કરાવે છે. મારા-તમારાપણાનો વિકલ્પ, પારકાપણાનો વિકલ્પ, મિત્ર-શત્રુ તરીકેની બુદ્ધિ, ઉચ્ચ-નીચાણાની બુદ્ધિ, ગમા-અણગમાના વમળ, રતિ-અરતિના દ્વન્દ્રને ઉત્પન્ન કરનાર અનુકૂળતાઆ પ્રતિકૂળતાનો વ્યામોહ વગેરે ક્યારેય પણ શુદ્ધસંગ્રહનયના અભિપ્રાયને આત્મસાત કરનાર વ્યક્તિને તું નડતા નથી. આ રીતે શુદ્ધ સંગ્રહનય ભેદભાવની બુદ્ધિને દૂર કરવા દ્વારા તથા અભેદબુદ્ધિનું આધાન કરવા દ્વારા સાધકને સમત્વ ભાવના શિખર સુધી પહોંચાડે છે. તે મુજબ કરવાથી સકલ આવરણનો ઉચ્છેદ થાય છે. તેનાથી સંગ્રહનયસંમત, હાર્નાિશિકાપ્રકરણમાં નિર્દિષ્ટ, તેની નયેલતા વ્યાખ્યામાં વર્ણિત છે એવું જન્મ-જરા-મરણ-રોગ વગેરે પીડાઓથી રહિત મુક્તિસ્વરૂપ સર્વોત્કૃષ્ટ સિદ્ધસુખ પ્રગટ થાય છે. સિદ્ધસુખનું વર્ણન ભગવતી આરાધના ગ્રંથ આ મુજબ કરે છે કે “અપ્સરાઓની સાથે સર્વ દેવોનો સમૂહ જે સુખને માણે છે, તેના કરતાં એક સિદ્ધ ભગવંતનું સુખ અનંતગુણ ચઢિયાતું છે તથા તમામ પીડાઓથી રહિત છે.” (૬/૧૧) ૧ કો.(૪)માં “સવિ' પાઠ મ.માં “સબ' પાઠ. કો.(૨) + કો(૭)નો પાઠ લીધો છે. જે શાં.માં ‘જાણવા” પાઠ નથી. મ.ક્લી.(૨)+કો.(૨++૯)+સિ.માં છે. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy