SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૫/૧૧)] ઉત્પાદ-વ્યયગૌણતા, સત્તામુખ્ય જ બીજઈ રે; ભેદ શુદ્ધ-દ્રવ્યાર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજઈ રે ૫/૧૧॥ (૬૫) ગ્યાન. ઉત્પાદ (૧) નઈં વ્યય (૨)ની ગૌણતાઈ, અનઇં સત્તામુખ્યતા બીજો ભેદ શુદ્ધદ્રવ્યાર્થનો જાણવો. “ઉત્પાર-વ્યય ોળત્યેન સત્તાપ્રાદ: શુદ્ધદ્રવ્યાર્થિ :' એહ બીજો ભેદ. (જિમ) એહનઈં મતિ દ્રવ્ય નિત્ય લીજઈ, નિત્ય તે ત્રિકાલઈ અવિચલિતરૂપ સત્તા મુખ્ય લેતાં એ ભાવ સંભવઈં. પર્યાય પ્રતિક્ષણ પરિણામી છઇ, તો પણિ જીવ-પુદ્ગલાદિદ્રવ્યસત્તા કદાપિ ચલતી નથી. *ઈતિ ભાવાર્થ. જ્ઞાનદષ્ટિ કરી તુમ્હે દેખઓ જોવઉં.* ।।૫/૧૧॥ परामर्शः उत्पाद-व्ययगौणत्वम्, द्वितीये सत्त्वमुख्यता । દ્રવ્યાર્થિનયે શુદ્ધે, નિત્યં યં યથા નનુ//IT ૧૩૫ * દ્રવ્યાર્થિકનયનો બીજો ભેદ સમજીએ શ્લોકાર્થ :- બીજા શુદ્ધ દ્રવ્યાર્થિકનયમાં ઉત્પાદ-વ્યય ગૌણ હોય છે અને સત્તાની મુખ્યતા હોય છે. જેમ કે (તમામ) દ્રવ્ય નિત્ય છે. (પ/૧૧) 6211 → સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયનું પ્રયોજન ) આધ્યાત્મિક ઉપનય :- નોકર દ્વારા કાચનો ગ્લાસ કે કાચનું વાસણ તૂટી જાય ત્યારે પુદ્ગલત્વરૂપે છે. ગ્લાસની નિત્યતા-વિચા૨ી-સ્વીકારી નોકર ઉપર થતા ગુસ્સાને અટકાવવો. જેમ આગળ વધતા બાણનો ક્રમશઃ ક્ષીણ થતો વેગ જ્યારે સંપૂર્ણપણે ખલાસ થાય ત્યારે બાણ પડી જાય છે, તેમ આયુષ્ય ખલાસ થાય ત્યારે દેહ પડી જાય છે. તે અવસરે મોતનો ડર લાગે તો ‘'ો મે સાક્ષો બપ્પા’ આ પ્રમાણે આતુરપ્રત્યાખ્યાન પ્રકીર્ણક (= પયજ્ઞા), મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક, ચન્દ્રકવેધ્યક પ્રકીર્ણક, આરાધનાપ્રકરણ, (શ્રીઅભયદેવસૂરિરચિત) ગ્રંથના વચનને યાદ કરીને, અસ્તિત્વગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિએ આત્મત્વરૂપે યો આત્માની નિત્યતાને મનોગત કરીને, નિર્ભય અને સ્વસ્થ બનવું. આ રીતે સર્વત્ર જ્ઞાનદૃષ્ટિથી જોવું. સર્વત્ર ઉદ્વેગને ટાળીએ ધરતીકંપ વગેરેથી મકાન પડી જાય કે છરી વગેરેથી કપડું ફાટી જાય ત્યારે મકાનત્વ-વસ્ત્રત્વ વગેરે પર્યાય તરફ ઉદાસીન રહી પુદ્ગલત્વરૂપે તેની નિત્યતાને વિચારીને ઉદ્વેગને આવતો અટકાવવો. આ રીતે સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનય સ્વસ્થતા, નીડરતા વગેરે ગુણોને કેળવવા માટે ખૂબ ઉપયોગી બને છે. આ જ રીતે મોક્ષમાર્ગે ક્રમશઃ આગળ વધતાં નવતત્ત્વસંવેદનમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં શ્રાદ્ધવર્ય અંબપ્રસાદજીએ કહેલ છે કે ‘સિદ્ધસ્વરૂપ શબ્દ-વર્ણ-૨સ-સ્પર્શ-ગાદિનો અવિષય છે, માયાશૂન્ય છે, નિરંજનજ્યોતિ છે, પારમાર્થિક છે, ૫૨મ અક્ષર = શાશ્વત છે.'(પ/૧૧) લા.(૧) + મ.માં ‘...દ્રવ્યારથિં’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ** ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે. 1. જો મે શાશ્વત ગાત્મા
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy