SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी ३०९ (અનુવાદ) (૭) એવંભૂત નય કહે છે કે જે પદાર્થમાં શબ્દની વ્યુત્પત્તિ થાય છે, તે વ્યુત્પત્તિ નિમિત્તક અર્થ જયારે વ્યવહારમાં પ્રવર્તે છે, ત્યારે તે અર્થમાં તે શબ્દની પ્રવૃત્તિ થાય છે. જેમ જલ લાવવાના સમયે સ્ત્રી આદિના મસ્તક ઉપર રહેલે ઘડે વિશિષ્ટ પ્રકારની ચેષ્ટાવાળ હોય. ત્યારે જ તે ઘડો કહેવાય. બાકીની અવસ્થામાં રહેલા ઘડાને ઘડો કહી શકતું નથીજેમ પટને ઘટ કહી શકાતું નથી. તેમ ઘટ પણ બાકીની અવસ્થામાં જલાદિ લાવવાની ક્રિયાથી રહિત હોવાથી ઘટ કહી શકાતો નથી. જે સમયે પદાર્થ પિતાની ક્રિયામાં પ્રવર્તિત હોય તે સમયે જ તે તે ક્રિયાને અનુરૂપ શબ્દથી પદાર્થ કહેવાય છે. કેમકે પદાર્થ અતીતકાલીન અવસ્થામાં નષ્ટ હોવાથી, અનાગતકાલીન અવસ્થામાં અનુત્પન્ન હોવાથી અને અતીત અનાગનકાલીન અવસ્થામાં શશશંગની જેમ અસત્ હોવાથી તે તે અવસ્થામાં સામાન્યતઃ શબ્દનો પ્રયોગ થઈ શક્તા નથી. જો કેઈપણ પ્રકારની અર્થ ક્રિયાથી શૂન્ય એવી અતીત અનાગતકાલીન અવસ્થામાં પણ ઘટમાં ઘટ શદને પ્રયોગ થતો હોય તે કપાલ અને માટીના પિંડમાં પણ ઘટ શબ્દને વ્યવહાર થશે. કેમકે જેવી રીતે અતીત અનાગતકાલીન ઘટ જલાહરણાદિ ક્રિયાથી શૂન્ય છે, તેવી રીતે કપાલ આદિ પણ જલાહરણાદિ અર્થક્રિયાથી શૂન્ય છે. માટે ઘટ અને કપાલમાં સમાનતા હોવાથી, કપાલ આદિ પણ ઘટ શબ્દથી વાચ્ય થશે. આથી સિદ્ધ થાય છે કે જે સમયે શબદની વ્યુત્પત્તિનાં નિમિત્તરૂપ અર્થ સંપૂર્ણરૂપે વિદ્યમાન હોય છે, ત્યારે જ તે અર્થમાં શબ્દ પ્રેગ થાય છે. આ પ્રકારે એવંભૂત નયના મતે પૃથ્વીનું પાલન કરતો હોય ત્યારે જ તેને પૃથ્વીપાલ (રાજા) કહેવાય અન્ય સમયે તેને પૃવીપાલ કહી શકાય નહીં. (ટીમ) ગવ સંપ્રદા અન્ય સામામિ નાનારાજ || विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमा नयः ॥१॥ सद्रूपतानतिक्रान्तं स्वस्वभावमिदं जगत् । सत्तारूपतया सर्व संगृह्णान् संग्रहो मतः ॥२॥ व्यवहारस्तु तामेव प्रतिवस्तु व्यवस्थिताम् । तथैव दृश्यमानत्वाद् व्यापारयति देहिनः ॥३॥ तत्रार्जुसूत्रनीतिः स्याद् शुद्धपर्यायसंश्रिता । नश्वरस्यैव भावस्य भावात् स्थिति वियोगतः ॥४॥ विरोधलिङ्गसंख्यादिभेदाद् : भिन्नस्वभावताम् । तस्यैव मन्यमानोऽयं शब्दः प्रत्यवतिष्ठते ॥५॥ तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवर्तिनः । ઝૂરે મિતુ સંજ્ઞાન |fમત્રતા //દ્દા
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy