SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કલશ ૨૬૫: ‘અમૃત જ્યોતિ’ वसंततिलका नैकांतसंगतदृशा स्वयमेव वस्तु तत्त्वव्यवस्थितिरिति प्रविलोकयंतः । स्याद्वादशुद्धिमधिकामधिगम्य संतो, ज्ञानी भवंति जिननीतिमलंघयन्तः ॥ २६५॥ નૈકાંત સંમત દેશે સ્વયમેવ સંત, વસ્તુ વ્યવસ્થિતિ ઈતિ અવલોકયંત, સ્યાદ્ વાદ શુદ્ધિ અધિકા કરી પ્રાપ્ત સંતા, જ્ઞાની જ ભવંત જિન નીતિ અલંઘયંતા. ૨૬૫ અમૃત પદ - (૨૬૫) ‘ચંદ્ર પ્રભુ મુખ ચંદ' એ રાગ દૃષ્ટિ નૈકાંતે સંગતા... ચેતન ચિંતવ રે. સ્વયં જ વસ્તુ વત... ચેતન. વ્યવસ્થિતિ અનંગતા... ચેતન. એમ જે અવલોકંત... ચેતન. ૧ સ્યાદ્વાદ શુદ્ધિ અંગતા... ચેતન. અધિક લહી તે સંત... ચેતન, જિન નીતિ ન જ લંઘતા... ચેતન, નિશ્ચય શાની હવંત... ચેતન. ૨ વસ્તુતત્ત્વ ન એકાંત... ચેતન, નિશ્ચય અનેકાંત... ચેતન. તેમાં જે વિશ્રાંત... ચેતન ભગવાન અમૃત શાંત... ચેતન. ૩ અર્થ - - ન એકાંત સંગત (અનેકાંત) દૃષ્ટિથી સ્વયમેવ વસ્તુતત્ત્વ વ્યવસ્થિતિ છે એમ પ્રવિલોકતાં સંતો, અધિક સ્યાદ્વાદ શુદ્ધિને પામીને જિનનીતિને અલંઘતાં જ્ઞાની હોય છે. - અનેકાંત વસ્તુ તત્ત્વ નિયત સ્થિતિઃ સ્યાદ્વાદ શુદ્ધિ જિનનીતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની કે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે. કારણ શિખાઉ કવિઓ જે કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા 'જ' શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ ‘જ' એટલે નિશ્ચયતા, શિખાઉં જ્ઞાન વડે કહો છો. મારો મહાવી૨ એમ કોઈ કાળે કહે નહીં, એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૦ અનેકાંતની મુક્ત કંઠે સ્તુતિ કરતા આ ઉપસંહાર કળશ કાવ્યમાં અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી વદે છે नैकांतसंगतदृशा स्वयमेव वस्तुतत्त्व વ્યવસ્થિતિરિતિ પ્રવિતોઅંતઃ ન-એકાંત’ અનેકાંત સંગત દૃષ્ટિથી ‘સ્વયમેવ’ – આપોઆપ જ વસ્તુ તત્ત્વ વ્યવસ્થિતિ' - વસ્તુ તત્ત્વની વ્યવસ્થા છે એમ ‘પ્રવિલોકતાં' - પ્રકૃષ્ટપણે વિલોકતાં ‘સંતો’ સંતજનો - સત્પુરુષો અધિક સ્યાદ્વાદ શુદ્ધિને પામીને જાણીને જિનનીતિને ‘અલંઘતાં’ ઉલ્લંઘતાં શાની હોય છે ‘સ્વાધાવશુદ્ધિ ધિામધિાન્ય સંતો જ્ઞાની મવંતિ બિનનીતિમસંયંતઃ' । આ જિનનીતિ અંગે પરમ જ્ઞાન વિભૂતિ સંપન્ન જ્ઞાનીશ્વર શ્રી અમૃતચંદ્રાચાર્યજીનું સુપ્રસિદ્ધ સુભાષિત છે કે ‘રવૈયાના નેતરાને એક અંતથી (છેડેથી) ખેંચતી અને બીજું અંતથી (છેડેથી) ઢીલું છોડતી ગોવાળણ જેમ માખણ મેળવે છે, તેમ એક અંતથી (ધર્મથી) વસ્તુનું તત્ત્વ આકર્ષતી અને બીજે શિથિલ (ગૌણ) કરતી એવી અનેકાન્ત નીતિ તત્ત્વ - નવનીત વલોવી જયવંત વર્તે છે. આ મૂળ સુભાષિત આ રહ્યું - નહિ O = ૮૬૧ - - " एकेनाकर्षंती श्लथयंती वस्तुतत्त्वमितरेण । અંતેન નતિ નૈની નૌતિર્મયાનનેત્રમિવ ગોપી ।'' - શ્રી અમૃતચંદ્રાચાર્ય પ્રણીત પુરુષાર્થ સિદ્ધયુપાય’ S -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy