SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૦૧: ‘અમૃત જ્યોતિ’ टंकोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया, वांछत्युच्छलदच्छचित्परिणतेर्भिनं पशुः किंचन । ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्वलं, स्यावादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात् ॥२६१॥ ટંકોત્કીર્ણ વિશુદ્ધ બોધ વિસરાકાર સ્વ તઆશથી, વાંછે અચ્છ ઉછળત ચિત પરિણતિથી યે જૂદુ 8 પશુ; નિત્ય જ્ઞાન અનિત્યતા પરિગમે તે ઉજ્વલું પામતો, સ્યાદ્વાદી ચિદ્ વસ્તુ વૃત્તિક્રમથી તદ્ અનિત્યતા ચિંતતો. ૨૬૧ અમૃત પદ - ૨૧ (‘ધાર તરવારની એ રાગ ચાલુ) ટંકોત્કીર્ણ શુદ્ધ અતિ, બોધ વિસરાકૃતિ, આત્મના તત્ત્વની આશ ધારી, ઉછળતી અચ્છ ચિત્ પરિણતિથી ભિન્ન કંઈ, વાંચ્છતો પશુ જ અબૂઝ ભારી... પશુ જ અચ્છ ચિત્ પરિણતિથી ભિન્ન કંઈ વાંચ્છતો. ૧ જ્ઞાન તો નિત્ય અનિત્યતા પરિગમે પણ તે ઉજ્વલું અત્ર પામે, સ્યાદ્વાદી વૃત્તિના, ક્રમથી તઅનિત્યતા, ચિતતો માત્ર ચિત્ વસ્તુધામે.... સ્યાદ્વાદી વૃત્તિના ક્રમથી તઅનિત્યતા ચિંતતો માત્ર ચિત્ વસ્તુ ધર્મ. ૨ અર્થ - કંકોત્કીર્ણ બોધ વિસરાકાર આત્મતત્ત્વની આશાથી ઉછળતી અચ્છ ચિત પરિણતિથી ભિન્ન એવું કાંઈ પશુ વાંચ્છે છે, ચિત્ વસ્તુ વૃત્તિ ક્રમથી તેની અનિત્યતા પરિમર્શતો (વિચારતો) સ્યાદ્વાદી અનિત્યતા પરિગમે પણ ઉજ્વલ એવું નિત્ય જ્ઞાન પામે છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૦), ૮૩૩ ચિદાનંદ ઘન તત્ત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે...” - શ્રી દેવચંદ્રજી ઉપરમાં કહ્યું તેથી ઉલટો – ‘વિશેષરૂપે નિત્યવં વિશેષરૂપથી અનિત્યત્વ - એ ચૌદમો પ્રકાર અહીં આ કળશ કાવ્યમાં” પ્રદર્શિત કર્યો છે - ઢહોલ્લીવિશુદ્ધવો વિસરોવર/ત્મતત્ત્વાશયા - ટંકોત્કીર્ણ વિશુદ્ધ બોધ વિસરાકાર' - જ્ઞાન પ્રસરાકાર એવા આત્મતત્ત્વની આશાથી “પશુ - અબૂઝ અજ્ઞાની જીવ, ઉછળતી “અચ્છ' - સ્વચ્છ વિત પરિણતિથી - જ્ઞાન પરિણતિથી વા ચિત પરિણતિથી - “ભિન્ન' - જુદું એવું કંઈ “વાંચ્છે છે' - ઈચ્છે છે – “વાંચ્છત્યુચ્છનછ વિસ્ (વિ) રાત્રે પશુ વિન', પણ આથી ઉલટું, “તેની’ - જ્ઞાનની અનિત્યતા ચિત્ વસ્તુની વૃત્તિના કમ થકી “પરિમર્શતો - પર્યાલોચતો સ્યાદ્વાદી તો - “ચાંદ્વાવી તુ તવનિત્યતાં રિકૃશંશ્ચિકતુવૃત્તિમાત્', “અનિત્યતાના” - અનિત્યપણાના પરિગમમાં - સર્વથા - સારી પેઠે જાણપણામાં પણ ઉજ્વલ જ્ઞાન નિત્ય પામે છે – જ્ઞાન નિત્યનિત્યતા परिगमेऽप्यासादयत्युत्ज्वलं । અર્થાતુ - વસ્તુ સામાન્ય રૂપ જ છે એવા એકાંતને ગ્રહનારો “પશુ' - અજ્ઞાની અબૂઝ, બેંકોત્કીર્ણ - ટાંકણાથી “ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવા અક્ષર સદાસ્થાયી નિત્ય એવા વિશદ્ધ “બોધ વિસરાકાર' - ૮૪૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy