SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ક્ષણિકવાદીનું નિરસન આ સમયસાર કળશમાં (૧૪) કરે છે - मालिनी क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं, निजमनसि विधत्ते कर्तृभोक्त्रोविभेदं । अपहरति विमोहं तस्य नित्यामृतौघैः स्वयमयमभिषिंचंश्चिचमत्कार एव ॥२०६॥ ક્ષણિક કલપિ આંહી આત્મનું તત્ત્વ એક, નિજ મન અવધારે કર્યું ને ભોક્ત ભેદ; તસ અપહરતો આ મોહ નિત્યામૃતો થૈ, અતિશય જ સિચંતો ચિત્ ચમત્કાર પોતે. ૨૦૬ અમૃત પદ - ૨૦૬ નિત્ય અમૃત ઓઘ સિંચંતો, ચિત્ ચમત્કાર “અમૃત' સંતો ! નિત્ય અમૃત” પ્રતિપદ ગાવે, અનુભવ અમૃત સિંધુ વહાવે... નિત્ય અમૃત. ૧ અહિં ક્ષણિક આત્મા કો કલ્પ, કર્તા-ભોક્તા વિભેદ જ જન્મે ! વાદ ક્ષણિક એકાંત વદંતા, મોહ મૂચ્છમહિ સીદતા... નિત્ય અમૃત. ૨ તસ મોહમૂચ્છ ત્યે ખેંચી, નિત્ય અમૃત ઓથે સિંચી, ચિત્ ચમત્કાર જ પોતે આ, પદ ભગવાન નિત્ય અમૃત આ... નિત્ય અમૃત. ૩ અર્થ - અહીં એક આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને, નિજ મનમાં કર્તા-ભોક્તાનો વિભેદ ધારે છે, તેના વિમોહને નિત્ય અમૃત ઓઘોથી અભિસિંચતો આ ચિચમત્કાર સ્વયં દૂર કરે છે. ૨૦૬ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય” “એ અનુભવથી પણ નહિ, આત્મા નિત્ય જણાય. ( શિષ્ય શંકા).” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૬૯ હવે એક ક્ષણિકવાદી કર્તા અને ભોક્તા જૂદો માને છે, જે કર્તા છે તે ભોક્તા નથી એમ એકાંતિક કથન કરે છે, તેવું નિરસન નીચેની ગાથાઓમાં કરવામાં આવે છે, તેનું સૂચન કરતો આ અને આ પછીનો એમ બે ઉત્થાનિકા કળશ અમૃતચંદ્રજીએ સંગીત કર્યા છે :- અહીં - આ લોકને વિષે “આ” - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલા આત્મતત્ત્વને કોઈ એક ક્ષણિક - ક્ષણભંગુર કલ્પીને – કલ્પનાથી માની બેસીને, પોતાના મનમાં કર્તા અને ભોક્તાનો વિભેદ - વિભિન્નપણું - જૂદાપણું ધારે છે. તેના આ વિમોહને નિત્ય અમૃત ઓઘોથી સ્વયં અભિષિચતો આ ચિતુચમત્કાર જ અપહરે છે - દૂર કરે છે - અપહરતિ વિમોહં તસ્ય નિત્યામૃતોદૈઃ વયમયમમણિંવંશ્ચિમાર ઇવ | જેમ કોઈ મોહ - મૂચ્છ પામી ગયેલો હોય તેને કોઈ જલસિંચન કરી વિમોહ – મૂચ્છ દૂર કરે છે, તેમ આ ક્ષણિકવાદીના વિમોહને જ્યાં નિત્ય ચિતુના-ચૈતન્યના ચમત્કાર - ચમકારા ચમક્યા જ કરે છે એવો આ ચિતુચમત્કાર જ સ્વયં - પોતે નિત્ય અમૃત ઓઘોથી - સદા અમૃત પ્રવાહોથી અભિસિંચન કરતો દૂર કરે છે. અત્રે કળશના અંતે “અમૃત શબ્દની ચમત્કૃતિથી ગર્ભિતપણે કળશ કર્ના પરમ અમૃત અમૃતચંદ્રજીનું નામ પોતાનું નામ ધ્વનિત છે. ૪૩૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy