SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યેજીએ તેનું અદ્ભુત તત્ત્વ મીમાંસન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - આ જે ફુટપણે "ત્રિવિધ” - ત્રણ પ્રકારના અર્થાત્ ક્રિયારૂપ - ભાવરૂ૫ - રૂપ - રૂપ એમ ત્રણ વિભાગમાં વિભક્ત થયેલા અધ્યવસાનો છે, તે સમસ્ત પણ શુભાશુભ કર્મબંધના નિમિત્તો છે - સ્વયં અજ્ઞાનાદિ રૂપપણાને લીધે – “સ્વયં જ્ઞાનાદ્રિપાતું !' તે આ પ્રકારે - જે આ હું હિંસુ છું ઈત્યાદિ અધ્યવસાન છે તે તો અજ્ઞાનમયપણાએ કરીને - સત્ અહેતુક શક્તિ એક ક્રિયા જેને છે એવા આત્માના અને રાગ દ્વેષ - વિપાકમથી હનનાદિ (હણવા આદિ) ક્રિયાઓના વિશેષના અજ્ઞાનથી - “વિવિક્ત' - જુદા - પૃથક આત્માના અજ્ઞાનને લીધે પ્રથમ તો અજ્ઞાન છે, વિવિક્ત' - જુદા - પૃથક આત્માના અદર્શનને લીધે મિથ્યાદર્શન છે અને ‘વિવિક્ત’ - જૂદા - પૃથક આત્માના અનાચરણને લીધે અચારિત્ર છે - વિધિવત્તાત્મજ્ઞાનાસ્તિ તાવજ્ઞાનં | ઈ. વળી જે આ ધર્મ વામાં આવે છે ઈત્યાદિ જે અધ્યવસાન છે તે પણ અજ્ઞાનમયપણાએ કરીને, સતુ અહેતુક જ્ઞાન એકરૂપ આત્માના અને શેયમય ધર્માદિ રૂપોના વિશેષના અજ્ઞાનથી “વિવિક્ત’ - જૂદા - પૃથક આત્માના અજ્ઞાનને લીધે પ્રથમ તો અજ્ઞાન છે, “વિવિક્ત' - જૂદા - પૃથક આત્માના અદર્શનને લીધે મિથ્યાદર્શન છે - અને “વિવિક્ત’ - જૂદા - પૃથક આત્માના અનાચરણને લીધે અચારિત્ર છે. તેથી આ સમસ્ત અધ્યવસાનો બંધ નિમિત્તો જ છે - વંનિમિત્તાન્યતાનિ સમતાનિ અધ્યવસાનાનિ | જેઓને જ આ - અધ્યવસાનો નથી વિદ્યમાન હોતા, તે જ મુનિકુંજરો કોઈ - 7 વિ મુનિશૃંગરા: વન’ - સત્ અહેતુક શક્તિ એક ક્રિયાવાળા, સત્ અહેતુક જ્ઞાયક એક ભાવવાળા અને સત્ અહેતુક જ્ઞાન એકરૂપ એવા “વિવિક્ત' - જૂદા - પૃથક આત્માને જાણતાં, સમ્યફ દેખતાં અને અનુચરતાં, સ્વચ્છ સ્વચ્છેદે ઉદય પામતી અમંદ અંતર જ્યોતિવંતો – “છસ્વચ્છેવોઘમંદાંતળ્યોતિષો', અત્યંતપણે – સર્વથા અજ્ઞાનાદિ રૂપપણાના અભાવને લીધે, શુભ વા અશુભ કર્મથી નિશ્ચય કરીને ન લેપાય - શુમેનાગુમેન વા વા વસ્તુ ન તિચેરનું | અર્થાત્ - જે આ ઉપરમાં વિવરી દેખાડ્યા તે અધ્યવસાનો કાં તો ક્રિયારૂપ અધ્યવસાનો હોય, કાં તો ભાવ રૂપ અધ્યવસાનો હોય, કાં તો રૂ૫ - રૂપ અધ્યવસાનો હોય. એવા જે આ ફુટપણે “ત્રિવિધ” - ત્રણ વિભાગમાં વહેંચાયેલા ત્રણ પ્રકારના અધ્યવસાનો છે તે સમસ્ત પણ શુભ - અશુભ કર્મબંધ નિમિત્તો - કારણો છે. કારણકે તે અધ્યવસાનોનું સ્વયં - પોતે અજ્ઞાનાદિ રૂપપણું છે માટે - અધ્યયસાનો પોતે – અજ્ઞાન રૂપ, મિથ્યાદર્શન રૂપ, અચારિત્ર રૂપ છે માટે. તે આ પ્રકારે – જે આ હું હિંસુ છું – હિંસા કરૂં છું ઈ. અધ્યવસાન છે તે તો અજ્ઞાનમયપણાએ કરીને પ્રથમ તો અજ્ઞાન છે, મિથ્યા દર્શન છે અને અચારિત્ર છે. શી રીતે ? આત્માની સત્ અહેતુક જ્ઞતિ એક ક્રિયા હોય છે, અર્થાત્ “જ્ઞપ્તિ’ - જાણવું એ જ એક આત્માની ક્રિયા છે અને તે “સત્” – ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત સ્વરૂપ સત્તાભૂત છે, અત એવ અહેતુક છે - નિષ્કારણ છે, જાણવું - જાણપણું એ આત્માનું સહજ સ્વભાવભૂત છે, એટલે તેનું “સત્ત્વ” - અસ્તિત્વ – હોવાપણું સદા હોય જ છે અને તેનું હોવું કોઈ બહિર્ગત કારણને આધીન નથી, પણ અંતર્ગત આત્મસ્વભાવને આધીન હોવાથી તેનું “ભવન' સ્વત એવ - આપોઆપ જ સતત થયા જ કરે છે અને હનનાદિ - હણવું આદિ ક્રિયાઓ રાગદ્વેષ વિપાકમયી છે, એટલે તે કદાચિત્ની છે, રાગ-દ્વેષ વિપાક હેતુમયી છે. આમ (૧) શક્તિ ક્રિયા “સતુ' છે. ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત સ્વરૂપ સત્તા રૂપ હોઈ સદા વિદ્યમાન છે. હનનાદિ ક્રિયા અસત છે - મૂળ સ્વરૂપમાં ન હોઈ - સ્વરૂપ સત્તા રૂપ ન હોઈ કદાચિત વિદ્યમાન છે, કદાચિત્કી છે. (૨) શક્તિ ક્રિયા અહેતુક છે - તે ઉપજવાનો કોઈ હેતુ છે નહિ, તે સહજ સ્વભાવભૂત હોઈ સ્વયં સિદ્ધપણે સ્વત એવ થયા જ કરે છે, હનનાદિ ક્રિયા રાગ - ષ વિપાકમથી છે – રાગ - ષાદિના વિપાક રૂપ હોઈ - રાગ દ્વેષાદિ હેતુક હોઈ સહેતુક છે, કૃત્રિમ વિભાવભૂત હોઈ પરનિમિત્તાધીનપણે પરતઃ ઉપજે છે. આવી “જ્ઞપ્તિ' એક ક્રિયાવંત આત્માના અને રાગ દ્વેષ વિપાકમથી હનનાદિ અનેક ક્રિયાઓના ૪૪૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy