SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અત્રે ઉક્તનો સારસમુચ્ચય પ્રકાશતાં પુરુષશાર્દૂલ અમૃતચંદ્રજી જ્ઞાનીને ચેતવણી રૂપ લાલ બત્તી દેખાડતો સમયસાર કળશ (૧૯) શાર્દૂલવિક્રીડિત વીરનાદથી ગર્જે છે - शार्दूलविक्रीडि ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते,' भुंक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बंध: स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते, ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाद्भुवं ॥१५१॥ શાની ! કર્મ કદી ન યોગ્ય કરવું કૈં તોય કહેવાય છે, ભોગું છું પર મ્હારૂં ના કદી યદિ, દુર્મુક્ત રે ! તું જ છે; હોયે બંધ દિ ભોગથી તુજ શું છે કામચારો નહીં ? જ્ઞાનં સન્ વસ બંધ પામીશ ન તો તું સ્વાપરાધે સહી. ૧૫૧ અમૃત પદ-૧૫૧ જ્ઞાન સતો વસ ! જ્ઞાની સતત તું, શાની અહો ! અબંધ, સ્વ અપરાધ થકી નહિ તો તું, ધ્રુવ પામીશ જ બંધ... જ્ઞાન સતો વસ. ૧ જ્ઞાની ! કર્મ કદી કરવું ઉચિત ના, કિંચિત્ કથાય તથાપિ, યદિ કહે જો ભોગું છું હું, પર મ્હારૂં ન કદાપિ... શાન સતો વસ. ૨ તો નિશ્ચય તું દુર્ભુક્ત જ છો, ભોગ લાલસા ભારી, છોડી કદાપિ ન છૂટે એવી, ભોગ કુટેવ જ હારી... જ્ઞાન સતો વસ. ૩ યદિ કહે જો બંધ ઉપભોગે, પરનો ભોગ ન હારે, . તો કામચાર વિચાર અરે ! તું, શું અહિં છે નહિ ત્યારે ?... જ્ઞાન સતો વસ. ૪ જ્ઞાની સતો વસ નહિ તો, પામીશ બંધ સ્વના અપરાધે, ભગવાન શાન અમૃત પીતો તું, હે સ્વરૂપ સમાધે... જ્ઞાન સતો વસ. ૫ અર્થ - હે શાની ! કદી પણ કિંચિત્ કર્મ કરવું ઉચિત નથી, તથાપિ જો (હારાથી) એમ કહેવામાં આવે કે હું તો અહો ! ભોગવું છું, પણ પર (પરદ્રવ્ય) કદી પણ મ્હારૂં નથી, તો અરે ! તું દુર્ભુક્ત જ છો ! (અર્થાત્ જે હારૂં નથી તે તું ભોગવે છે, એટલે તું દુષ્ટ ભોગ ભોગવનાર છો - તને તેવી દુષ્ટ ટેવ પડી ગઈ છે !) અને જો હારાથી એમ કહેવામાં આવે કે ઉપભોગથી બંધ હોય નહિ', તો શું તે (આ ત્હારૂં ભોગકર્મ - ભોગપ્રવૃત્તિ) શું કામચાર છે - ઈચ્છા પ્રવૃત્તિ છે ? માટે તું જ્ઞાન સતો વસ 1 નહિ તો ‘સ્વ ના’ ત્હારા પોતાના અપરાધથી ધ્રુવપણે બંધને પામીશ. ૧૫૧ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.'' ૩૩૦ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૬), ૧૦૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy