SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આ પદ અનુભવવાનું જગતને આહ્વાન કરતો અને નીચેની ગાથાના ભાવનું પૂર્વસૂચન કરતો આ ઉત્થાનિકા સમયસાર કળશ (૧૧) અમૃતચંદ્રજી લલકારે છે – द्रुतविलंबित पदमिदं ननु कर्मदुरासदं, सहजबोधकलासुलभं किल । तत इदं निज बोधकलाबलात्कलयितुं यततां सततं जगत् ॥१४३॥ પદ જ આ નકી કર્મથી દુર્લભ, સહજ બોધ કલા થકી સુલભં, કલિત આ નિજ બોધ કલા બલે, સતત યત્ન કરો જગ ભલે ! ૧૪૩ અમૃત પદ-(૧૪૩) યત્ન કરો રે યત્ન કરો ! જગ, પદ કળવા આ યત્ન કરો ! કર્મથી દુર્લભ જેહ સુલભ છે, સહજ સ્વ બોધ કલાથી ખરો !... યત્ન કરો. ૧ તેથી આ નિજ બોધ કલાના, બળથી કળવા યત્ન કરો ! સતત જગત આ પદ પામીને, ભગવાન પદ અમૃત વરો !... યત્ન કરો. ૨ અર્થ - આ પદ નિશ્ચય કરીને કર્મોથી દુરાસદ' - દુષ્માપ્ય - પ્રાપ્ત થવું દુષ્કર છે, પણ સહજ બોધકલાથી ખરેખર ! સુલભ છે, તેથી આને નિજ બોધ કલાના બલ થકી કળવાને જગત્ સતત યત્ન કરો ! “અમૃત જ્યોતિ' મહાભાષ્ય કેવલ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિયે કેવલ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ “આત્મ અનુભવ રસ ભરી, યામેં ઔર ન ભાવૈ, આનંદઘન અવિચલ કલા, વિરલા કોઈ પાવૈ.” - શ્રી આનંદઘનજી, પદ-૨ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતા આ કળશનું સર્જન કરી મહાકવિ બ્રહ્મા પરબ્રહ્મ અમૃતચંદ્રજીએ અત્રે જગતને આ જ્ઞાનપદ કળવાનો - અનુભવવાનો સતત આ શાનપદ કર્મથી દુષ્માપ્યઃ યત્ન કરવાનું પરમ ભાવવાહી આહ્વાન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે – સહજ બોધ કલાથી સુલભ ‘મે ‘આ’ જે કહ્યું તે “પદ - જ્ઞાનરૂપ સ્થિર સ્થાન નનું - ખરેખર ! નિશ્ચય કરીને કથિી દુરાસદ છે - ફર્મદુરાસવું, ગમે તેટલા “કર્મોથી” - કષ્ટ ક્રિયાઓથી દુરાસદ' - દુષ્પાપ - પ્રાપ્ત કરવું દુષ્કર - દુર્લભ છે, પણ ‘સહજ બોધ કલાથી ખરેખર ! સુલભ છે', સદનવોધનાસુનમ, “સહજ', – સ્વભાવભૂત એવી બોધ કલાથી “સુલભ” - પ્રાપ્ત કરવું સુકર છે, એમ “કિન' - ખરેખર ! પરમ સત્યમૂર્તિ આત્માનુભવ આd - પ્રાપ્ત જ્ઞાની પુરુષોનો પ્રવાદ છે, તેથી કરીને નિજ બોધ કળાના બળ થકી - “નિનવોઘના વત્તાત્' આ પદને કળવાને - અનુભવવાને - સમજવાને જગત્ સતત યત્ન કરો ! “યિતું વતતાં સતત નતિ’ | અર્થાત્ - ઉપર “આત્મખ્યાતિ'માં સુસ્પષ્ટપણે વિવરી દેખાડ્યું તેમ કર્મમાં જ્ઞાનનું પ્રકાશવું છે નહિ, એટલે આ ઉક્ત પદ ગમે તેટલા ક્રિયા રૂપ કર્મોથી પ્રાપ્ત કરવું દુર્લભ છે, પણ સહજ બોધકલાથી તો તે સાવ સુલભ છે, પ્રાપ્ત કરવું સહજ છે. મથી મથીને મરી જાય તો પણ જ્ઞાન - ઉપયોગશૂન્ય કર્મોથી જે પદ પ્રાપ્ત થતું નથી, તે આ પદ સહજ બોધરૂપ કળાથી અથવા સહજ બોધની કળાથી (at) પ્રાપ્ત થવું સાવ સુલભ છે. જે કામ બળથી થવું દુષ્કર છે, તે કામ કળથી થવું સુકર છે, તેમ જે પદપ્રાપ્તિરૂપ કામ ૨૬૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy